[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીને પાસપોર્ટ આપવા કર્યો આદેશ

[updated_date] [post_views]

Table of Content

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમન વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટે છ માસ માટે પારપોર્ટ આપવા માટે આદેશ આપ્યા છે.પોતાના પરિવારને વિદેશ મળવા જવા માટે તેઓએ પાસપોર્ટ માટે અરજી કરી હતી.વિપુલ ચૌધરીનો સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરી લીધો હતો.જેથી તેઓએ આ અંગે અરજી કરી હતી.

વિપુલ ચૌધરીનો પાસપોર્ટ સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડ મામલે કોર્ટે જમા લીધો હતો.ગત જુલાઈ 2021માં પોતાના પુત્રને અમેરિકા મળવા માટે પાસપોર્ટની અરજી કરી હતી.પરતું કોર્ટે તેઓની આ અરજી ફગાવી દીધી હતી.તાજેતરમાં વિપુલ ચૌધરીએ પોતાનો પરિવાર અમેરિકામાં તેમજ ઓસ્ટ્રેલિયામાં હોવાથી મળવા જવા માટે પાસપોર્ટ આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.ગુજરાત હાઇકોર્ટે વિપુલ ચૌધરીને છ માસના સમયગાળા માટે પાસપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.જેથી વિપુલ ચૌધરી હવેથી પોતાના પરિવારને મળવા માટે વિદેશ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે.જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.વિપુલ ચૌધરીએ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે.વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles