By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ATS એ પેપર લીકકાંડમાં બે આરોપીને કલકત્તાથી દબોચ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત ATS એ પેપર લીકકાંડમાં બે આરોપીને કલકત્તાથી દબોચ્યા
AhmedabadGeneral

ગુજરાત ATS એ પેપર લીકકાંડમાં બે આરોપીને કલકત્તાથી દબોચ્યા

HM News
Last updated: 03/02/2023 9:59 AM
HM News
2 years ago
Share
SHARE

અમદાવાદ, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : ગુજરતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યા બાદ ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત ATS દ્વારા વધુ બે આરોપીનોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જુનિયર ક્લાર્ક પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓને નિરાશા સાથે ઘરે જવું પડ્યું હતું.છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.ત્યારે સમગ્ર મામલે ATS પણ કાર્યવાહી કરવામાં કોઈ કશર ન રાખતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ પ્રતીત થઈ રહ્યું છે.ગુજરાત ATS દ્વારા કોલકત્તાથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.બંને આરોપીઓ મૂળ બિહારના છે અને વડોદરા ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે.નિશિકાંતસિંહા કુશવાહ અને સુમિતકુમાર રાજપૂત નામના બંને આરોપીઓને પેપરલીક કાંડમાં ઝડપી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર પેપરકાંડ વડોદરા શહેરમાં ભાસ્કર ચૌધરીની ઓફિસથી પકડાયું છે અને ગુજરાત ATS આ મામલે તપાસ પણ બારીકાઈથી કરી રહી હોય તેવું લાગે છે ત્યારે એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી રહી છે.

ગઈકાલે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ નામ આપ્યા હતા

ATSની ટીમે કોલકાતાથી નિશિકાંત સિંહા અને સુમિત કુમારની ધરપકડ કરી છે.જે આ પેપરલીક કાંડના મુખ્ય આરોપીઓ હોવાનું કહેવાય છે.માહિતી મુજબ ATSની ટીમે મોડી રાત્રે કોલકાતાથી આ બંનેની ધરપકડ કરી હતી.અત્યાર સુધીમાં પેપરકાંડમાં 19 જેટલા આરોપીઓ સકંજામાં આવી ચૂક્યા છે.ગઈકાલે યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક કાંડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.જેમાં નિશિકાંત સિંહાનું પણ નામ લીધું હતું અને કહ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા નિશિકાંત સિંહાએ જ અગાઉ ભાસ્કર ચૌધરીને તિહાર જેલમાંથી છોડાવ્યા હતા અને દરેક વખતે પેપર કાંડમાં પોતે કોઈને કોઈ રીતે છટકી જાય છે.ત્યારે હવે ATSની તપાસનો રેલો તેમના સુધી પહોંચતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

‘ઉર્જા વિભાગમાં કૌભાંડથી 300થી વધુ લોકોને નોકરી અપાવી’

યુવરાજસિંહે કહ્યું હતું કે, કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તારો સાથે સીધી રીતે સંકળાયેલા છે.મોટાભાગની તમામ લિંકો અરવલ્લી આસપાસના વિસ્તારો તેની સાથે સીધી સંકળાયેલી છે.તેમાં ખાસ કરીને કેતન બારોટનું મોસાળ નરસિંહપુર આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અવિનાશ પટેલ સાથે થઈ હતી.આ અવિનાશ પટેલ ભૂતકાળની ઘણી પરીક્ષાના પેપર લીકમાં સીધો સંકળાયેલો છે.તેમના ધર્મપત્ની,તેમના બહેન અને સંબંધીઓ પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડથી લાગ્યા છે.તેમના પત્નીનું સર્ટિફિકેટ પણ નકલી છે,જે ભાસ્કર ચૌધરી પાસેથી મેળવ્યું છે.

અવિનાશ સાથે અરવિંદ પટેલ,અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા અમારી પાસે ડેટા છે તે મુજબ 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે.જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની ઈન્સ્ટીટ્યુટ હતી સ્ટેક વાઈઝ ટેકનોલોજી એમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે.તેમણે આગળ કહ્યું કે, અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે.આ સાથે જ યુવરાજ સિંહે વર્ષ 2014 બાદથી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા કહ્યું.તેમણે કહ્યું, ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.અને બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા,જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે.તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન
પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલા : મહિલાનું ઓયૌન શોષણ થઇ રહ્યું છે
ભડકાઉ ભાઈજાન પર ભડક્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહ્યું કે, ઔવૈસી એક નાક વાળો લગામ વગરનો આખલો
‘પઠાન’માં દીપિકાની બિકિની પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભડક્યા, કહ્યું- ‘ભગવાનું અપમાન કરનારાનું મોંઢુ તોડી નાંખીશું’
શિવસેનાના MLAએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- PM મોદી સાથે ફરી જોડાઓ
Share This Article
Facebook Email Print
Previous Article રાણો રાણાની રીતે : હાઇકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી
Next Article રાજકોટ સેશન્સ કોર્ટે ભાજપના નેતાની બદનક્ષીની અરજી ગ્રાહ્ય રાખી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up