– સવારથી બપોર સુધી 4.30 કલાક સુધી રોકાણ અને બેઠકોનો દોર
– ભાજપ જિલ્લા સંગઠન,સંઘ પરિવાર,જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિની બેઠક
ગાંધીનગર, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 20 માર્ચ ગુરૂવારે દિવસભર ભરૂચમાં ઉપસ્થિત રહી સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજશે.ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન,આગેવાનો,પદાધિકારીઓ,જન પ્રીતિનિધિઓ,સંઘ પરિવાર,કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક યોજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવી રહ્યાં છે.
વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન,સંકલન સમિતિ,આગેવાનો,કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થઈ રહ્યું છે ત્યારે તેમના આગમનને લઈ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભરૂચમાં 20 માર્ચે સવારે 10.30 કલાકે જીએનએફસી ખાતે મુખ્યમંત્રીનું આગમન થશે. જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એક થી દોઢ કલાક બેઠક યોજશે.
મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ,ચૂંટાયેલા પદાધિકારીઓ,સાંસદ,ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદ કરશે. જે બાદ 30 મિનિટ સુધી સંઘ પરિવાર સાથે મુખ્યમંત્રીનો સંવાદ યોજાશે.બપોરે ભોજન,અલ્પાહાર બાદ 45 મિનિટ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે.


