By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગૃહમંત્રી અમિત શાહ રવિ- સોમ અમદાવાદમાં, SG હાઇવે પર ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લા મૂકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગૃહમંત્રી અમિત શાહ રવિ- સોમ અમદાવાદમાં, SG હાઇવે પર ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લા મૂકશે
GandhinagarGeneral

ગૃહમંત્રી અમિત શાહ રવિ- સોમ અમદાવાદમાં, SG હાઇવે પર ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લા મૂકશે

HM News
Last updated: 18/06/2021 3:44 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગૃહમંત્રી અમિત શાહ રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ- સરખેજ હાઈવે વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના માર્ગ મકાન વિભાગે બનાવેલા વૈષ્ણોદેવી જંકશન અને ખોડીયાર કન્ટેનર ડેપો ઉપરના એમ બે ફ્લાય ઓવરનું ૨૧ જૂનને સોમવાર તેમના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે.તેમના ગાંધીનગર સંસદિય ક્ષેત્રમાં કલોલ ખાતે છઁસ્ઝ્રના નવા પ્રકલ્પ તેમજ નજીકમાં પાનસર ખાતે રેલ્વે ઓવર બ્રીજનું પણ લોકપર્ણ કરશે. SG હાઉવે ઉપર વૈષ્ણોદેવી જંકશને રૂ.૨૬ કરોડના ખર્ચે ૧.૨ કિ.મી.નો ફ્લાય ઓવર બ્રિજ તેમજ ખોડીયાર કન્ટેનર ડેપો જવા નીચેથી અંડરબ્રીજ અને ઉપર ૮૦૦ મીટરના લાંબા ફ્લાયર ઓવર માટે રૂ.૧૪ કરોડનો ખર્ચ થયો છે.આ બેઉ બ્રીજ ઉપર હાલમાં સ્ટ્રીટ લાઈટ બેસાડી ચાલુ કરવાનું છેલ્લુ કામ ચાલી રહ્યુ છે.ગૃહમંત્રી અમિત શાહ આ બેઉ બ્રીજના લોકાપર્ણ બાદ કલોલ ખાતે નાની એવી સભા યોજે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.તદ્ઉપરાંત તેઓ ગાંધીનગર મતક્ષેત્રમાં ચાલતા વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે,બાદમાં સરકાર અને ભાજપ સંગઠન સાથે પણ બેઠક યોજશે તેમ મનાય છે.

ભરૂચ ખાતે નર્મદા મૈયા બ્રિજનું ટૂંક જ સમયમાં લોકાર્પણ થશે : ડે.CM

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરૂવારે ભરૂચ,ખેડા જિલ્લાના રૂ.૧૫૮ કરોડના ત્રણ વિકાસના કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હત અને લોકાપર્ણ કર્યુ હતુ.ઔદ્યોગિક ક્ષેત્ર અંકલેશ્વર ખાતે ગડખોલ સુધીના રૂ.૮૪ કરોડના ખર્ચે આકાર પામેલા રેલ્વે ભરૂચ ઓવરબ્રિજનું લોકાપર્ણ કરતા તેમણે કહ્યુ કે ભરૂચ ખાતે નર્મદા મૈયા બ્રીજનુ પણ ટૂંક જ સમયમાં લોકાપર્ણ થશે.ગડખોલ રેલ્વે લાઈન ઉપર રોજની ૧૦૦થી ૧૫૦ ટ્રેન પસાર થતી હતી.અહીં, ઓવરબ્રીજ બનતા નાગરીકોને રાહત થશે.નીતિન પટેલે ડાકોરમાં રૂ.૭૩ કરોડના ખર્ચે આકાર પામનારા ઓવરબ્રીજનું ખાતમૂર્હત પણ કર્યુ હતુ.

રાજસ્થાનનો આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ : બેંગ્લોર ૭ વિકેટથી હારીને બહાર
કલ્યાણમાં ભાજપના ધારાસભ્યને ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી લોકસભા લડવા ઓફર
CR પાટીલના એક નિવેદને ઉડાડી ધારાસભ્યોની ઉંઘ! : આગામી વિધાનસભામાં ભાજપમાં નવાજુનીના એંધાણ !
નવી સરકારની રચનામાં કેટલાક જુના જોગીઓ કપાશે ? કમલમ ખાતે બેઠક પૂર્વે અટકળો બની તેજ
PM મોદીએ ફરી દિલ જીતી લીધું, ચેન્નાઈમાં BJPના દિવ્યાંગ કાર્યકર સાથે લીધેલો ફોટો Twitter પર શેર કરી લખ્યું A Special Selfie
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપે કાર્યક્રમો જાહેર કર્યા,રોજગારવાંચ્છુ યુવાનોએ કહ્યું-‘હવે ભરતી પરીક્ષા શરૂ કરો’
Next Article સ્વિત્ઝર્લેન્ડને ૩-૦થી હરાવીને ઈટાલીનો યુરો કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up