By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!
GeneralNational

ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!

HM News
Last updated: 18/02/2022 5:25 AM
HM News
3 years ago
Share
SHARE

– ધો.7ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની પાસે ગાંધી અને ગોડ્સે વિશે આવી માહિતી કેવી રીતે આવી ? એ તપાસનો વિષય
વલસાડ : ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને આદર્શ ગણાવી વક્તૃત્વ સ્પર્ધામાં આ વિષયને પ્રથમ ઈનામ આપવાના પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે.જેમાં આ વિષય ઉપર પ્રથમ ઈનામ મેળવનારી કુુસુમ વિદ્યાલયની ધો.૭ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની મુસ્લિમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વક્તૃત્વ સ્પર્ધામાં ૩ વિષયો પૈકી મારો આદર્શ નથુરામ ગોડ્સે વિષય ઉપર ગાંધીજીને વિલન અને ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને હીરો ચિતરવા માટે તેજાબી સ્પીચ આપી પ્રથમ ઈનામ મેળવનાર અન્ય કોઈ નહીં પણ જ્યાં આ સ્પર્ધા યોજાઈ હતી.અને સમગ્ર જીવન ગાંધીજીના આદર્શો ઉપર ચાલનારા તથા વડાપ્રધાન બન્યા પછી પણ સત્તા માટે કોઈપણ સાથે જરાપણ સંધી ન કરનારા સ્વ.મોરારજી દેસાઈ પરિવારની શાળા કુસુમ વિદ્યાલયની ધો.૭-બમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ખૂબજ આશ્ચર્યની વાત છે કે એક અંગ્રેજી માધ્યમની માત્ર ધો.૭માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની મુસ્લિમ બાળકી આ ખૂબજ અઘરા વિષય ઉપર તે પણ ખૂબજ તેજાબી વક્તૃત્વ કેવી રીતે આપી શકે તે એક તપાસનો વિષય છે.એક દિવસ પહેલા આપેલ વિષયમાં શાળાના શિક્ષકોમાંથી કોઈએ કે વિદ્યાર્થિનીના વાલીએ આ સ્પીચ તૈયાર કરી તે પણ એક તપાસનો વિષય છે.એક મુસ્લિમ વિદ્યાર્થિની પાસે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને આદર્શ બતાવી હીરો હોવાનું બોલાવવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાની ગંધ આવી રહી છે.મુસ્લિમ વિદ્યાર્થિની બોલવામાં હોશિયાર છે.પરંતુ આ રીતની સ્પીચ આપી શકે અને આટલી બધી ગાંધીજી નથુરામ ગોડ્સે માટે બોલી શકે તેવી કેલીબર તો નથી જ એમ આ વિદ્યાર્થિનીને જાણનારાઓ કહી રહ્યા હોવાની ચર્ચાઓ છે.
કોંગ્રેસના ગૌરવ પંડયાએ કહ્યું,આખી ગુજરાત સરકારને બરખાસ્ત કરો!
કોંગ્રેસ એઆઈસીસીના સભ્ય ગૌરવ પંડયાએ વિશ્વભરમાં ભારતની ઈમેજ બગડી હોવાનું તેમજ બાળકોને હિંસક બનાવવા અને ખુનીઓને ઉપર લાવાની ચેષ્ટાને સખત શબ્દોમાં વખોડી વડાપ્રધાનને ગુજરાત સરકારનું તાત્કાલિક રાજીનામુ લેવા ટકોર કરી છે.જ્યારે કેન્દ્રમાં ગુજરાતના વડાપ્રધાન બેઠા છે.ત્યારે તેમની જવાબદારી છે કે સરકારને બરખાસ્ત કરી એક દાખલો બેસાડે.તાત્કાલિક અસરથી પગલાં લેવામાં ન આવે તો ખૂબજ ખરાબ સમય આવશે.આ માટે કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન છેડવું પડશે તેવી રાજ્ય સરકારને ચેતવણી આપી હતી.

મીઠાઈ વેચનારે 1લી તારીખથી બેસ્ટ બીફોર લખવું ફરજિયાત
ઝેલેસ્કી પશ્ચિમી દેશો પર બગડયા- ખોટી રમત રમવાનું બંધ કરી દો, રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો ઝડપથી લાદો
હજુ તો એ 20% છે, જ્યારે 50% થઈ જશે ત્યારે હિન્દુઓની સ્મશાનયાત્રા યોજવી પણ મુશ્કેલ બનશે : સાધ્વી પ્રાચી
Delhi Weather: દિલ્હી-NCRમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, તાપમાનમાં ઘટાડો નોંધાયો
FSL એ સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા PI અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદ બ્લાસ્ટ કેસઃ 14 વર્ષે થશે ન્યાય, 49 દોષિતોને સંભળાવાશે સજા
Next Article ભાગલા પાડો, રાજ કરો તે કોંગ્રેસની નીતિ છે : મોદીના ચન્ની પર ચાબખા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up