By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગોધરાકાંડ : ૯ કલાક ચાલેલી પુછપરછમાં મોદીએ એક કપ ચા પણ નહોતી પીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગોધરાકાંડ : ૯ કલાક ચાલેલી પુછપરછમાં મોદીએ એક કપ ચા પણ નહોતી પીધી
GeneralNational

ગોધરાકાંડ : ૯ કલાક ચાલેલી પુછપરછમાં મોદીએ એક કપ ચા પણ નહોતી પીધી

HM News
Last updated: 27/10/2020 7:05 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. ૨૭: ગુજરાતના રમખાણોની તપાસ કરતી વખતે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની SIT એ ૯ કલાકની મેરેથોન પૂછપરછ કરી હતી.દરમિયાન તેમને લગભગ ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં અને તેમણે કોઈ પણ પ્રશ્નના જવાબ આપવાનું ટાળ્યું ન હતું. એટલું જ નહીં,મેરેથોન પૂછપરછ દરમિયાન મોદીએ પૂછપરછ કરનાર એટલે કે લ્ત્વ્ તરફથી ચા પણ પીધી નહોતી.તત્કાલીન સમય દરમિયાન તપાસ ટીમની આગેવાની કરનાર આર.કે.રાદ્યવને પોતાના નવા પુસ્તકમાં આ દાવો કર્યો છે.

સીબીઆઈના પૂર્વ ડિરેકટર રાદ્યવને પોતાની આત્મકથા ‘અ રોડ વેલ ટ્રાવેલ્ડ’માં લખ્યું છે કે ગાંધીનગરમાં આવેલી SIT ઓફિસમાં પૂછપરછ માટે આવવા મોદીએ તરત જ સહમતિ આપી હતી. તેઓ પોતાની સાથે પાણીની બોટલ લઈને આવ્યા હતાં.

૨૦૦૨ના ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની રચના કરી હતી.જેની આગેવાની રાઘવન કરી રહ્યા હતાં.આ પહેલા તેઓ સીબીઆઈના ડિરેકટર તરીકે કામ કરી ચૂકયા હતાં.ગુજરાતના રમખાણો સિવાય તેઓ અનેક હાઈ-પ્રોફાઇલ કેસોની તપાસમાં સામેલ હતાં.જેમાં બોફોર્સ કૌભાંડ,૨૦૦૦નાં સાઉથ આફ્રિકા ક્રિકેટ મેચ-ફિકિસંગ કેસ અને દ્યાસચારા કૌભાંડનો સમાવેશ થાય છે.

ગુજરાતના તત્કાલીન સીએમને જયારે SIT એ પૂછપરછ માટે બોલાવ્યા હતા તેમને યાદ કરતાં રાદ્યવને પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ‘અમે તેમના સ્ટાફને મેસેજ મોકલ્યો હતો કે, તેમને રૂબરૂ લ્ત્વ્ ઓફિસમાં આવવું પડશે અને જો આ બેઠક કોઈ અન્ય સ્થળે રાખવામાં આવે તો ગેરસમજ થઈ શકે છે કે તરફેણ કરવામાં આવી રહી છે.લૃ રાદ્યવને આગળ લખ્યું હતું કે, ‘તેઓ (મોદી) અમારી ભાવનાને સમજી ગયા અને તરત જ ગાંધીનગરમાં સરકારી સંકુલમાં SIT ના ઓફિસમાં આવવા સહમત થયા.’ પૂર્વ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે એક ‘અસામાન્ય પગલું’ ભરતાં એસઆઈટી સભ્ય અશોક મલ્હોત્રાને પૂછપરછ કરવા માટે કહ્યું જેથી પછી તેમની અને મોદી વચ્ચે કોઈ સોદેબાજીનો ‘આરોપ’ ન લાગી શકે.

રાઘવને કહ્યું કે, ‘ઉઠાવેલા આ પગલાનું મહિનાઓ પછી કોઈ અન્યએ નહીં પરંતુ વકીલ મિત્ર હરીશ સાલ્વેએ પણ સમર્થન આપ્યું હતું.તેમણે મને કહ્યું કે મારી હાજરી હોત તો વિશ્વસનિયતા પર અસર થઈ હોત.’તામિલનાડુ કેડરના નિવૃત્ત્। આઈપીએસ અધિકારીએ કહ્યું કે,તેમણે જે મનમાં આવ્યો તે જ નિર્ણય લીધો હતો.જે તદ્દન વ્યકિતગત હતો. ૨૦૧૭માં તેમની સાયપ્રસમાં હાઈ કમિશનર તરીકે પણ નિમણૂંક થઈ હતી.

રાઘવને કહ્યું કે,’ SIT ઓફિસમાં મારા રૂમમાં મોદીની પૂછપરછ ૯ કલાક ચાલી હતી.મલ્હોત્રાએ પછી મને કહ્યું હતું કે,મોડીરાતે પૂરી થયેલી પૂછપરછ દરમિયાન મોદી શાંત અને સંયમિત રહ્યાં હતાં.’

રાઘવને કહ્યું કે, ‘તેઓ (મોદી) કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતા નહોતા. જયારે મલ્હોત્રાએ મોદીને પૂછ્યું કે,શું તેઓ બપોરના ભોજન માટે વિરામ લેશે ત્યારે તેમણે શરૂઆતમાં તો ના પાડી. તેઓ પોતે જ એક બોટલ પાણીની લાવ્યા હતાં અને લાંબી પૂછપરછ દરમિયાન તેમણે એસઆઈટીની એક કપ ચા પણ સ્વીકારી નહોતી.રાઘવને કહ્યું કે,’નાનકડો બ્રેક લેવા માટે મોદીને ખૂબ જ સમજાવવા પડ્યા હતાં. મોદીના ઉર્જાસ્તરના વખાણ કરતા રાદ્યવને કહ્યું હતું કે,આખરે તેઓ ટૂંકા બ્રેક માટે તૈયાર થયા પરંતુ તેઓ પોતાના માટે નહીં પરંતુ મલ્હોત્રાની રાહતની જરુરિયાત જોતા આમ કરવા માટે તૈયાર થયા હતાં.’ નોંધનીય છે કે, SIT એ ફેબ્રુઆરી ૨૦૧૨માં ‘કલોઝર રિપોર્ટ’ દાખલ કર્યો હતો.જેમાં મોદી અને અન્ય ૬૩ લોકોને પણ કિલન ચીટ આપવામાં આવી હતી.જેમાં ઘણા વરિષ્ઠ સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. SIT એ ઉલ્લેખ કર્યો હતો કે,તેમની સામે ‘કોઇ કાનૂની પુરાવાઓ નથી’.

રાત્રે 8 વાગ્યા બાદ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, હાલ ચક્રવાત દિવથી 220 કિ.મી. દુર, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ–મુંબઈ નૅશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાં, ચીખલી નજીક હાઇવે બંધ કરાયો
૪૮ કલાકમાં જ ૨૭થી વધુ દર્દી પોઝિટિવ ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો વિસ્ફેટ
હાફિજ સઈદ, સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ
લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના બને તેવી શક્યતા : ૧૫મીથી શું થશે અને કેટલી રાહતો મળશે તેનો ઈન્તજાર
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત સરકારની ૬૦ ટકા વેબસાઇટ ઓફલાઇન, નવો ડેટા જોવા મળતો નથી, જૂનાં આંકડા છે
Next Article ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદીને, કોટક મહિન્દ્રા દેશની 8મી સૌથી મોટી બેંક બનશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up