ગોવિંદભાઈ રિસાયા: ભાજપમાં રાત્રે ભડકો

HM News
2 Min Read

રાજ્યસભાની ચૂંટણી પૂર્વની રાત ભાજપના ધારાસભ્યોએ તેમના હાઈકમાન્ડને પરસેવો પડાવી દીધો છે.કોંગ્રેસને રામ રામ કરીને આવેલાને મળતા પદ અને પ્રતિાને લઈ વર્ષેા સુધી કરેલી જાહેરાત પર પાણી ફેરવી દેતા હોવાનો ઉકળાટ ગાંધીનગરના એમએલએ કવાર્ટરમાં ઠાલવાયો હતો અને ગઈકાલે આખીરાત ભાજપના આગેવાનો ધારાસભ્યોને સમજાવવા માટે પરસેવો પાડયો છે.રાજકોટ (દક્ષિણ)ના ભાજપના સિનિયર ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ રિસાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.સામાન્ય રીતે પાર્ટી લાઈનમાં રહેતા અને લોપ્રોફાઈલ એવા ગોવિંદભાઈ પટેલ રિસાતા ભાજપમાં દોડધામ મચી જવા પામી હતી અને મોડી રાત સુધી તેને મનાવવાના પ્રયાસો ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કરવામાં આવ્યા હતા.
અત્યતં શાંત પ્રવૃતિ ધરાવતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પણ એમએલએના પદ અને ગરીમાને લઈ હાઈકમાન્ડ સમક્ષ બળાપો ઠાલવ્ફયો છે.તેવું બિનસત્તાવાર સૂત્રોમાંથી વિગતો મળી રહી છે.

આ મામલે ગોવિંદભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન રાતથી જ સ્વીચ ઓફ આવી રહ્યો છે.આ બધા વચ્ચે દેવુસિંહ ચૌહાણના અંગત અને હાલ માતરના ધારાસભ્ય કેસરસિંહ ચૌહાણ ગઈકાલે મોડીરાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

નાદુરસ્ત તબિયતના કારણે આગળ ધરીને ત્રણ ધારાસભ્યોએ સહાયક મતની માગણી કરી છે.જેમાં ગાંધીનગરના શંભુજી ઠાકોર,માતરના કેસરીસિંહ ચૌહાણ અને ભાવનગરના પરસોત્તમ સોલંકી સહાયક મતદાન કરશે આ માટે ચૂંટણીપચં દ્રારા વિવિધ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગઈકાલે સાંજથી મંત્રીપદ અને બોર્ડ-નિગમની નિમણૂકો તથા કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યોને થતી લ્હાણીને લઈ ગાંધીનગરમાં ભાજપના જ ધારાસભ્યોને ઉકળતો ચરૂ છે.જેને ધ્યાનમાં લઈ તમામ ધારાસભ્યોને એમએલએ કવાર્ટર નહીં છોહવાના આદેશ કરવામાં આવ્યા છે આ તમામ ધારાસભ્યોના આવન-જાવન પર નજર રાખવા માટે ખાસ પોલીસ પહેરો મુકવામાં આવ્યો છે.ધારાસભ્યોના આવન-જાવનનું રજિસ્ટર નિભાવવાના આદેશથી ધારાસભ્યો અકળાયા હતા.

માતરના ધારાસભ્ય કેસરસિંહ ચૌહાણની શરૂ થયેલી બબાલને લઈ સાંસદ દેવુસિંહ ચૌહાણને મધ્યસ્થી બનાવવામાં આવ્યા છે.દેવુસિંહની તેની જગ્યા પર કેસરસિંહને ટિકિટ આપવામાં આવી હતી આથી કેસરીસિંહની જવાબદારી માટે દેવુસિંહને આગળ કરી દેવાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *