By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે ખેડૂત સમાજ અને આગેવાનના મંતવ્ય અલગ-અલગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે ખેડૂત સમાજ અને આગેવાનના મંતવ્ય અલગ-અલગ
GeneralGujarat Now

ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે ખેડૂત સમાજ અને આગેવાનના મંતવ્ય અલગ-અલગ

HM News
Last updated: 16/05/2022 6:02 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધને ઉઠાવી લેવા ગુજરાત ખેડૂત સમાજે માંગ કરી છે.જયારે માજી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે આ પ્રતિબંધને દેશના હિતમાં ગણાવતા ખેડૂત સમાજના આગેવનો બે અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે રજુઆત કરતા જણાવ્યું કે, આ પ્રતિબંધથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય એવી પરિસ્થિતિ ઉભી થશે. સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, જે આ નિર્ણય સાથે સુંસગત નથી.વધતી જતી મોંધવારી, વધતા જતા ડિઝલના ભાવ અને ખેતી કરવા માટે જરૃરી એવા બિયારણ, ખાતર, દવા, મજુરીના ભાવો વધવાથી ખેતી ખર્ચાળ બનતી જાય છે.એવા સંજોગોમાં સરકારનો ઘઉંની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક હોવાથી પ્રતિબંધ તત્કાળ ખેંચવા માંગ કરી છે.સાથે ઘઉંની મીનમમ પ્રાઇઝ 3,000 પ્રતિ કિવન્ટલ કરવામાં આવે, ખેત વપરાશ માટે ડિઝલ પર ૫૦ ટકા સબસીડી આપવામાં આવે અને કૃષિ પંચની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

જ્યારે ખેડૂત સમાજના દક્ષિણ ગુજરાતના માજી પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને દેશ હિતમાં ગણાવ્યો હતો.તેમના જણાવ્યા મુજબ ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ઘારણા કરતા ઓછુ થવાનું છે.ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઇ છે.ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહીં એવા હેતુથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.આથી આ નિર્ણય દેશના હિતમાં છે.ઘઉંનો સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના બજારમાંથી ખરીદી થઇ રહી નથી.એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત થઇ છે.

ભાજપના ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન બાદ ડેરી સત્તાધીશોને ગાંધીનગરનું તેડું
જંગલેશ્વર વિસ્તારના મુસ્લિમ સમાજના આગેવાન એવા મુન્ના બાપુ નો રિપોર્ટ પોઝિટિવ
સસ્તા મકાનો આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના 31 માર્ચે સમાપ્ત થશે
કાશ્મીર સરહદે અફઘાનિસ્તાન-પાક.ના 150થી વધુ આતંકી ઘુસવાની ફિરાકમાં
કામરેજના નવી પારડીથી ગેરકાયદે ગૅસ રીફિલિંગનું નેટવર્ક પકડાયું
Share This Article
Facebook Email Print
Previous Article અલથાણ ગાર્ડન નજીક ઘર પાસે રમતી 8 વર્ષની બાળકી અને તેનો 4 વર્ષનો ભાઈ ગુમ થઈ ગયા
Next Article Задержан убийца выдававшей микрозаймы россиянки
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up