– મુંબઈ અને ગુજરાતમાં આવી પાર્ટીઓને મળેલા ડોનેશનની કુલ રકમ રૂ.2000 કરોડને પાર
– ઝૂંપડીમાં રાજકીય પાર્ટીની રજીસ્ટર્ડ ઓફિસ,પરંતુ ચૂંટણી પંચ મુજબ પાર્ટીને માન્યતા નથી
ટેકસચોરી અને રાજકીય ભંડોળના કિસ્સામાં આવકવેરા વિભાગે બુધવારે દેશના ઘણા ભાગોમાં નોંધાયેલા પરંતુ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોના સ્થળો પર મોટી કાર્યવાહી કરી હતી.આ ક્રમથી મુંબઈમાં દરોડા પાડતી વખતે ટીમ ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં આવેલી ઘડિયાળની દુકાન સુધી પહોંચી હતી.અહીં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ઘડિયાળની દુકાનનો માલિક પણ આવી જ એક રાજકીય પાર્ટીનો પ્રમુખ હતો.જોકે, તેણે કહ્યું કે તેને ડોનેશન અને સર્ટિફિકેટ વિશે કોઈ માહિતી નથી. તપાસમાં સામે આવ્યું છે કે આ ટીમે છેલ્લા ત્રણ વર્ષમાં 370 કરોડનું ડોનેશન લીધું હતું. ત્યારથી આવકવેરા વિભાગ તેના અધ્યક્ષને શોધવામાં વ્યસ્ત હતા.
મળતી માહિતી મુજબ આ વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના અમદાવાદમાં રહેતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આમાં સામેલ હોઇ શકે છે.આ માહિતીના આધારે અમદાવાદના આવકવેરા અધિકારીઓએ પાર્ટીના પ્રદેશ પ્રમુખને શોધી કાઢ્યા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કથિત રીતે 3 ટકા કમિશન લઈને ડોનેશન સર્ટિફિકેટ આપ્યાની કબૂલાત કરી હતી.તો બાકીના નાણાં વિવિધ માધ્યમો દ્વારા સંસ્થાઓને આપવામાં આવ્યા હતા.આ પૈસા પછી તે વ્યક્તિઓ અને સંસ્થાઓને પરત કરવામાં આવ્યા જેમણે ખેલા પાડવા માટે રોકડમાં દાન આપ્યું હતું.યુપીમાં આવી વધુ બે પાર્ટીઓ આમાં સામેલ છે.
આપને જણાવી દઈએ કે મુંબઈ, ગુજરાત,દિલ્હી-એનસીઆર,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આવકવેરા અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં 2099 રજિસ્ટર્ડ રાજકીય પક્ષો છે,જેમાંથી 2044 નોંધાયેલા છે પરંતુ માન્યતા પ્રાપ્ત નથી. તો માત્ર 55 પક્ષોને માન્યતા પ્રાપ્ત છે.રાજકીય પક્ષોને તેમના દ્વારા પ્રાપ્ત દાન પર કોઈપણ પ્રકારના કરમાંથી મુક્તિ આપવામાં આવે છે.જેના દ્વારા કરચોરીનો ખેલ પાડવામાં આવી રહ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે પણ દરોડા ચાલુ રહેશે.
રાજકીય પક્ષની ઓફિસ ઝૂંપડામાંથી મળી
મુંબઈમાં આવકવેરા વિભાગના અધિકારીઓ સાયનમાં ગીચ વસ્તીવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા.આ દરમિયાન લગભગ 100 ચોરસ ફૂટની ઝૂંપડીમાં આવેલી સમાન પાર્ટીની રજિસ્ટર્ડ ઓફિસ મળી આવી હતી.બેંકના રેકોર્ડ મુજબ આ પાર્ટીએ છેલ્લા બે વર્ષમાં લગભગ 100 કરોડ રૂપિયાનું ડોનેશન લીધું હતું.આ રાજકીય પક્ષ નોંધાયેલ છે પરંતુ ભારતીય ચૂંટણી પંચ (ECI) મુજબ માન્યતા પ્રાપ્ત નથી.
સૂત્રોનું માનીએ તો આઈટી અધિકારીઓ દ્વારા જ્યારે પાર્ટી અધ્યક્ષને પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે તેમને માત્ર સ્ટેટસ માટે પદ આપવામાં આવ્યું છે અને તેમને પાર્ટી અધ્યક્ષ કહેવામાં આવે છે.પરંતુ પાર્ટીની રચનાથી માંડીને ડોનેશન અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ અમદાવાદમાં રહેતા ઓડિટર્સ દ્વારા હાથ ધરવામાં આવે છે.સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીએ લગભગ 100 કરોડ રૂપિયાનું દાન લીધું હતું અને આ દાન માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.આ સર્ટિફિકેટનો ઉપયોગ ટેકસ બચાવવા માટે થતો હતો. દાનની રકમમાંથી 0.01 ટકા બાદ કર્યા પછી પાર્ટી માટે ઓડિટર દ્વારા રચાયેલી સંસ્થાઓ અને પેઢીઓને વિવિધ માધ્યમો દ્વારા નાણાં આપ્યા બાદ તે રોકડમાં પરત કરવામાં આવી હતી.
કમિશન લઈને દાતાને પૈસા પરત કરવામાં આવ્યા હતા
મુંબઈમાં આવકવેરા વિભાગ દ્વારા આવી જ બીજી પાર્ટી શોધી કાઢવામાં આવી છે, જે બોરીવલીમાં આવેલી હતી.અહીં ઉક્ત પાર્ટી નાના ફ્લેટમાંથી ચલાવવામાં આવતી હતી.પાર્ટીએ વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી લગભગ 50 કરોડ રૂપિયાનું દાન લીધું હતું અને તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને દાન ઘણી કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવ્યું હતું.પછી સમાન ટકાવારી બાદ તે રોકડમાં દાન આપતી વ્યક્તિ અથવા સંસ્થાને પરત કરવામાં આવતું હતું.
દાનની રકમ 2000 કરોડથી વધુ હોઈ શકે
દેશભરમાં લગભગ 205 એવા સ્થળો અને આવા ઘણા રાજકીય પક્ષો પર દરોડા પાડવામાં આવ્યા છે,જેનો ઉપયોગ લોકો અને સંસ્થાઓના ટેક્સને છીનવી લેવા માટે કરવામાં આવતો હતો.નિષ્ણાતોના મતે મુંબઈ અને ગુજરાતમાં આવી પાર્ટીઓને મળેલા ડોનેશનની કુલ રકમ રૂ.2000 કરોડને પાર કરી શકે છે.ગુજરાત અને અમદાવાદમાં આવી ઘણી પાર્ટીઓ મોટાભાગે છેતરપિંડી માટે ચલાવવામાં આવતી હતી.ગુજરાતમાં આવા 21 રાજકીય પક્ષો પર દરોડા પાડવા માટે મુંબઈથી આવકવેરા વિભાગના 120થી વધુ અધિકારીઓની ટીમ મોકલવામાં આવી હતી.


