By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઘેટા-બકરા પરત કરવા લાદેલી શરત સહિતનો હુકમ રદ કરવાની રીવીઝન રદ કરાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઘેટા-બકરા પરત કરવા લાદેલી શરત સહિતનો હુકમ રદ કરવાની રીવીઝન રદ કરાઇ
GeneralSurat

ઘેટા-બકરા પરત કરવા લાદેલી શરત સહિતનો હુકમ રદ કરવાની રીવીઝન રદ કરાઇ

HM News
Last updated: 14/06/2022 6:54 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : પાંજરોપોળને રૃા.2.50 લાખ નિભાવખર્ચ આપ્યો હોવાથી પશુની કિંમતના દોઢ ગણા બોન્ડ અને રૃા.1 લાખ જામીનગીરીનોનો હુકમ રદ કરવા માંગ થઇ હતી સુરત જિલ્લાના કામરેજ પોલીસે એનીમલ ક્રુએલ્ટી એક્ટના ભંગના ગુનામાં કબજે કરેલા ઘેંટા-બકરાના મુદ્દામાલને પરત માંગતી અરજી અંગે નીચલી કોર્ટના હુકમની કાયદેસરતાને પડકારતી રાજસ્થાન બાડમેરના પશુપાલકોની રિવીઝન અરજીને એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન વૈષ્ણવે નકારી કાઢી નીચલી કોર્ટનો હુકમને કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા નિર્દેશ આપ્યો છે.

મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની તૈયબખાં ગફુરખાં તથા મુસેખાન ઈબ્રાહીમખાન દ્વારા ટ્રકમાં અનુક્રમે 171 તથા 150 ઘેટાં બકરાને જતાં કામરેજ ટોલનાકાથી ઝડપી ગુનાના મુદ્દામાલ તરીકે પશુને કબજે કરી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.બંને પશુપાલકોએ ઘેટા-બકરા પરત સોંપવા તા.29-7-21ના રોજ કઠોર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી.જેને ટ્રાયલ કોર્ટે માન્ય રાખી જીવિત હોય તે બકરાની કિંમત ગણીને દોઢગણી રકમના જાત મુચરકા બોન્ડ સબંધિત પોલીસ મથકમાં આપવા તથા રૃા.1 લાખ રોકડ રકમ જામીનગીરી પેટે કોર્ટમાં જમા કરાવવાની શરત લાદી હતી.

દરમિયાન પાંજરોપોળે પશુઓના નિભાવખર્ચ પેટે રૃા.2.50 લાખ લીધા હોવાથી નીચલી કોર્ટના હુકમને રદ કરવા બંને પશુપાલકોએ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી.જેના વિરોધમાં એપીપી નિલેશ ગોળવાળાએ જણાવ્યું હતું કે નીચલી કોર્ટે લાદેલી શરતો કાયદેસરની છે.જ્યારે પાંજરાપોળ તરફે વી.એ.દવેએ જણાવ્યું હતું કે એનીમલ ક્રુએલ્ટી એ સ્પેશ્યલ એક્ટ છે,સુપ્રિમ કોર્ટે પ્રાણીઓને જીવંત વ્યક્તિનો દરજ્જો આપ્યો છે.ટ્રાયલ ચાલતા વાર લાગે તેમ હોવાથી કોર્ટે મુદ્દામાલ પરત માંગતી અરજી મંજુર કરીને લાદેલી શરતો કાયદેસરની છે.એનીમલ ક્રુએલ્ટી એક્ટના નવા રૃલ્સમાં કલમ-135 મુજબ પ્રાણીઓનો નિભાવખર્ચ પ્રાણીઓના માલિકોએ પાંજરાપોળને આપવાની જોગવાઈ છે.જેથી નીચલી કોર્ટનો હુકમ કાયદેસરનો હોઈ કાયમ રાખવો જોઇએ.

તાપીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર એલર્ટ
મોહન ડેલકર આપઘાત કેસમાં 9 મોટા માથાઓની સંડોવણી ખુલ્યા બાદ સ્થાનિક લોકોમાં પ્રસાશન વિરુદ્ધ ભભૂકતો રોષ : સિલ્વાસા કલેક્ટર ઓફિસ બહાર RAFની ટીમ ગોઠવી દેવાઈ
ધર્મ સંસદમાં આપેલા નિવેદનો ‘હિંદુઓના શબ્દો’ નથી : હરિદ્વાર હેટ સ્પીચ કેસ પર બોલ્યા RSS ચીફ
રંગીલા રાજકોટમાં ફાયર પાણીપૂરીનો ચસ્કો:સળગતા પાન પછી કપૂરવાળી પાણીપૂરીએ લગાવી ‘આગ’,કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને લાગ્યું સળગતી પાણીપુરીનું ઘેલું
હિંદવા ગ્રુપ દ્વારા નિર્મિત…. ધ વર્લ્ડ : હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો 17મી સપ્ટેમ્બરે યોજાશે ગૃહ પ્રવેશ
Share This Article
Facebook Email Print
Previous Article સ્કૂલોમાં પહેલા દિવસે ફુલ હાજરીઃ મુકવા-લેવા જવાની વાલીઓ ગયા
Next Article વાડીફળિયામાં જુના જર્જરિત મકાનની છતનો ભાગ ધસી પડયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up