ચંડીગઢ : ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના અંતિમ પરિણામો આવી ગયા છે.ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 14 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે,જ્યારે બીજેપી 12 સીટો સાથે બીજા નંબર પર છે.કોંગ્રેસ 8 વોર્ડમાં જીત મેળવીને ત્રીજા ક્રમે આવી છે.જ્યારે અકાલી દળને માત્ર 1 સીટ મળી હતી.
ચંડીગઢ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપી AAPની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.ભાજપના મેયર રવિકાંત પોતે વોર્ડ નંબર 17માંથી ચૂંટણી હારી ગયા છે.તેમને આમ આદમી પાર્ટીના દમનપ્રીત સિંહે 828 મતોથી હરાવ્યા છે.ભાજપના ત્રણ પૂર્વ મેયર પણ હારી ગયા છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં AAPની લીડ પર ખુશી વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં આપ પહેલીવાર ઉતરી હતી.હાલના રુઝાનો અનુસાર ચંડીગઢના લોકોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું છે.હું તમામ મતદારો,પક્ષના કાર્યકરોનો આભાર માનું છું.
આપના રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે,ચંડીગઢ ચૂંટણી એક ટ્રેલર છે,પંજાબ સંપૂર્ણ ફિલ્મ હશે.ચંડીગઢનો મિજાજ પંજાબનો મિજાજ છે.દરેક લોકો આપને વોટ આપી રહ્યા છે.શરુઆતી રુઝાન સાબિત કરે છે કે લોકોએ અરવિંદ કેજરીવાલને તક આપવાનું નક્કી કર્યું છે.
ગત ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો અને તેના ભૂતપૂર્વ સાથી અકાલી દળને એક બેઠક મળી હતી. કોંગ્રેસ માત્ર ચાર બેઠકો જીતવામાં સફળ રહી હતી.દરેક વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થતો હતો,પરંતુ આ વખતે પંજાબની ચૂંટણી પહેલા કોંગ્રેસ,આપ,ભાજપ અને અકાલી દળ-બીએસપી ગઠબંધન વચ્ચે ટક્કર હતી.