ચલથાણ ગામમાં રાજકીય અગ્રણીઓ અને પંચાયતના કારભારીઓ મેળાપીણા દ્વારા સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકી 15માં નાણાં પંચના 70 લાખથી વધુના કામો એક વર્ષ અગાઉ એડવાન્સમાં કરી નાખવામાં આવતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું ચર્ચાયું હતું. ચર્ચા મુજબ પલસાણા તાલુકાના પલસાણા,તાંતીથૈયા વરેલી તેમજ ચલથાણ જેવી મહત્વની મોટી મલાઈદાર પંચાયતોમાં અજય મહેતા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠેલો જોવા મળે છે.ચલથાણ પંચાયતના 70 લાખના એડવાન્સ કામ મુદ્દે અધિકારીઓને જાણ હોવા છતાં મગનું નામ મરી પાડતા નથી ટકાવારી માં બધા ચૂપ હોવાનું ચર્ચાય રહ્યું છે.
કોરોના કાળમાં ચલથાણના તલાટી કમ મંત્રીને લોભલાલચ આપી પોતાની એજન્સીનું ટેન્ડર પાસ કરાવવા માટે બારડોલીના અજય મહેતાએ તલાટી પાસે ટેન્ડર પ્રક્રિયા પહેલા જ કવર ખોલાવી નાખ્યા હતા.જે મામલે પંચાયતના સભ્યોએ વિરોધ કરતા ઉપરી અધિકારીઓએ તપાસ બાદ તલાટીની બદલી કરી તેમાં વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી કરી હતી એ વિવાદનું મુખ્ય કારણ કોન્ટ્રાકટર અજય મહેતા હોવાનું બહાર આવ્યું હતું.અજય મેહતા જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયતના અને મોટી ગામ પંચાયતોના હોદ્દેદારો તેમજ અધિકારીઓ સાથે સારા સબંધ ધરાવતા હોવાનું ચર્ચાય રહ્યું છે જેના કારણે અજય મહેતા પોતાના મન મુજબનું કામ કરે છે મોટા કમિશનની લહાઈમાં અજય મહેતાની મન માની અને ભ્રષ્ટાચાર સામે અધિકારીઓ ઘૂંટણિયે પડી જાય છે.
અજય મહેતાની એજન્સી એટલે *પહેલા કામ પછી દામ*
સરકારી ધારાધોરણ મુજબ ગ્રાન્ટ મંજુર થયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને પછી માલની ખરીદી કરી જે તે ચોકસાઈ કરી પછી કામ શરૂ કરવામાં આવે છે અહીં અજય મહેતાની એજન્સીમાં ઊલટી ગંગા વહી રહી છે પહેલા એડવાન્સમાં કામ કરી દેવામાં આવે છે પછી એ કામ ક્યાં ગ્રાન્ટમાં સેટ કરવી તે નક્કી કરવામાં આવે છે ગ્રાન્ટ મંજુર થયા બાદ વર્ક ઓર્ડર લેવામાં આવે છે અને પછી એડવાન્સમાં થયેલા કામ મજૂર કરી પેમેન્ટ લેવામાં આવે છે.


