By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના SEA FOOD એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના SEA FOOD એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા
GeneralSaurashtra

ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના SEA FOOD એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા

HM News
Last updated: 24/05/2021 6:22 AM
HM News
4 years ago
Share
SHARE

પોરબંદર: કોરોના વાયરસની મહામારીને કારણે આજે વિશ્વના અમુક દેશોને બાદ કરતા મોટભાગના દેશોએ આ કોરોના વાયરસને કારણે પોતાના નાગરિકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો સાથે જ કોરોનાથી મોટાભાગના વેપાર-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કોરોનાને કારણે માછીમારી ઉદ્યોગમાં સૌથી મોટી નુકસાની સહન કરવાનો વારો ગુજરાતના સી ફૂડ (See Food) એક્સપોર્ટરોને આવ્યો છે.

ચાઇનાના હેલ્થ ઓથોરીટી દ્વારા હાલમાં ખોટી આડોડાઇ અને દાદાગીરી કરી ગુજરાતથી ચાઈના ગયેલ સી ફૂડ (See Food) ભરેલ 80 જેટલા કન્ટેનરો આજે છેલ્લા સાત-આઠ મહિનાથી ક્લિયરન્સના વાંકે રોકી રાખતા ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોના વાયરસે આજે વિશ્વ કક્ષાએ થોડો અંશે તમામ વેપાર- ઉદ્યોગને અસર પહોંચાડી છે.જેનાથી આજે મંદિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.કોરોના વાયરસ જે દેશમાંથી શરુઆત થઈ છે તે ચાઈનાની તાનાશાહી અને સરમુખ્યતાર શાહી નિતીથી આજે તમામ લોકો અવગત છે. ચાઈનાની હેલ્થ ઓથોરીટીની ખોટી કનડગત અને અને દાદાગીરીનો શીકાર ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરો બન્યા છે. વાત જાણે એમ છે કે,ગુજરાત (Gujarat) વર્ષોથી ચાઈનામાં સી ફૂડ એક્સપોર્ટ્સ કરતુ આવ્યુ છે.

ગુજરાતમાંથી એક્સપોટર્સ થનાર કુલ સી ફૂ઼ડમાંથી 70 ટકા સી ફૂડ તો માત્ર ચાઈનમાં જ એક્સપોટર્સ થાય છે. એટેલે કહી શકીએ ચાઈના એ ગુજરાતનું સી ફૂડ ખરીદી કરતો સૌથી મોટો દેશ છે.પરંતુ જ્યારથી કોરોના વાયરસન શરૂઆત થઈ છે.ત્યારથી ચાઈનાની હેલ્થ ઓથોરીટી દ્વારા કોઈને કોઈ કારણોસર ગુજરાતથી જતા સી ફૂડ કન્ટેનરો સાથે કનડગત શરૂ કરવામાં આવી રહી છે.

ચાઈનાની દાદાગીરી અંગે ગુજરાત સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ કે.આર.સલેટે એવુ જણાવ્યુ હતુ કે,હાલમાં ચાઈનાની હેલ્થ ઓથોરીટીએ ગુજરાતના 80 જેટલા કન્ટેનરો છેલ્લા સાત-આઠ મહિનાથી વધુ સમયથી ક્લિયરન્સના વાંકે રોકી રાખ્યા છે ન તો ચાઈના આ કન્ટેનરોને ક્લીયર પણ નથી કરી રહ્યુ અને કન્ટેનરો પરત પણ નહી કરતુ હોવાથી સી ફૂડ એક્સપોર્ટરોના અંદાજે 50 કરોડથી વધુ રૂપિયા હાલ ચાઈનામાં ફસાયા છે.

ગુજરાતમાંથી છેલ્લા ઘણા વર્ષોથી 2 થી 3 હજાર કરોડનું સી ફૂડ વિદેશોમાં એક્સપોટર્સ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ સી ફૂડનુ એક્સપોટર્સ વેરાવળ,પોરબંદર અને માંગરોળમાથી થાય છે વર્ષે કેન્દ્ર સરકારને મોટુ વિદેશી હુંડીયામણ કમાવી આપતા આ ઉદ્યોગની હાલની ચાઈના સરકારની આ સમસ્યા અંગે રાજ્યથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરવામાં આવી છતા આટલા મહિનાઓ વિતવા છતા કન્ટેનર ક્લીયર અથવા પરત કરવા કોઈ કાર્યવાહી થઈ નથી.

હાલમાં કરોડો રૂપિયાના સી ફૂડથી ભરેલા આ કન્ટેનરો ચાઈને વ્યવસ્થિત રાખ્યા હશે કે કેમ તેને લઈને પણ સી ફૂડ એક્સપોટર્સને ચિંતા સતાવી રહી છે.સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશનના વાઈસ પ્રેસિડન્ટે જણાવ્યુ હતુ કે,ચાઈના ભલે અમારા કન્ટેનરો રીલીઝ ન કરે તો કમસે કમ અમારા કન્ટેનરો પરત તો કરે જેથી અમે તેને અન્ય જગ્યાએ વહેંચી શકીએ કે ઉપયોગ કરી શકીએ.છેલ્લા સાત-આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે.ત્યારે માલની સ્થિતિ કેવી હશે તેની અમોને જાણ નથી ત્યારે આ માલ બગડી જશે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો વાઈસ પ્રસિડન્ટે ઉઠાવ્યા હતા.

આર્થિક રીતે મોટી નુકસાની સહન કરી રહેલ માછીમાર ઉદ્યોગની મુશ્કેલીઓ સમજી તેમના પ્રશ્નો તરફ સરકાર ધ્યાન આપે તે જરુરી છે.કેન્દ્ર સરકાર સી ફૂડ એક્સપોટર્સના આ પ્રશ્ને ચાઈના સરકાર સાથે વાત કરી યોગ્ય ઉકેલ લાવે તે જરુરી છે.અન્યથા સી ફૂડ એક્સપોટર્સને 50 કરોડથી વધુનુ નુકસાન સહન કરવાનો વારો આવશે અને ઉદ્યોગને આનાથી મોટો ફટકો પડશે.ત્યારે હાલ તો ગુજરાત સી ફૂડ એક્સપોટર્સ એશોસિએશન સરકાર આ અંગે કોઈ પગલા લેશે તેવી આશા રાખી રહ્યુ છે.પરંતુ આટલો સમય વિતવા છતા કોઈ પરિણામ નહી આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

PM મોદીએ આપ્યા સંકેત, 3 મે બાદ હૉટસ્પૉટમાં ચાલુ રહેશે લૉકડાઉનઃ સૂત્ર
West Bengal Election : રેલીમાં બોલ્યા PM મોદી, દીદી ખેલા હોબે નહીં વિકાસ હોબે, બંગાળની દુર્ગતિની સજા મળશે
59 એપ પર પ્રતિબંધથી ચીન ધુંઆપુંઆ, મોદી સરકાર બીજો મોટો ઝાટકો આપવાની તૈયારીમાં
પંચમહાલનો તલાટી આવક કરતાં વધારાના 29.55 ટકા કમાઈ ગયો : બનાવી લીધા કરોડો
બજેટ રજુ થયા પહેલા વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ… સરકારે લેખિતમાં જવાબ આપ્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ઉધાર લીધેલા પૈસા ન ચુકવાતા પરિણીતાને નોટિસ
Next Article વલસાડના દરિયા કિનારે 2 દિવસમાં 7 લાશો મળી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up