યેરેવન, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવાર : ચીન અને તાઈવાનની વચ્ચે ચાલુ તણાવ અને યુદ્ધના જોખમ વચ્ચે દુનિયાના બે અન્ય દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયુ છે. અઝરબૈજાન અને આર્મેનિયાની વચ્ચે વધુ એક વખત તણાવ શરૂ થઈ ગયો છે. અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે વિવાદિત ક્ષેત્ર નાગોર્નો-કારાબાખના અમુક પહાડો પર કબ્જો કરી લીધો છે.અઝરબૈજાન અનુસાર તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે આર્મેનિયાના સૈનિકોએ વિવાદિત ક્ષેત્રમાં તેમના એક સૈનિકને ઠાર માર્યો. આ વિસ્તારમાં રશિયાના શાંતિ સૈનિક પણ તૈનાત છે.
આર્મેનિયાના રક્ષા મંત્રાલયે અઝરબૈજાનના હુમલામાં બે સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે.યુદ્ધમાં અત્યારસુધી આર્મેનિયાના 19 સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર છે.વિસ્તારમાં તૈનાત રશિયાની શાંતિ સેનાએ અઝરબૈજાનના સૈનિકોના ત્રણ વખત યુદ્ધ વિરામનુ ઉલ્લંઘન કરવાની જાણકારી આપી છે.
બંને દેશોની વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ?
આ સમગ્ર વિવાદ નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને છે, જે અઝરબૈજાનમાં છે પરંતુ હજુ આર્મેનિયાની સેનાનો તેની પર કબ્જો છે.બંને દેશ સોવિયત સંઘના ભાગ રહ્યા છે પરંતુ 80ના દાયકાના અંતમાં જ્યારે USSR નુ પતન શરૂ થયુ તો તે બાદ બંને દેશોની વચ્ચે વિવાદ વધ્યો.આ સમગ્ર વિવાદ નાગરનો-કારાબાખ વિસ્તાર માટે છે, જે આર્મેનિયા અને અઝરબૈજાનના બોર્ડર વિસ્તાર પર છે. 1991માં પણ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.
પહાડી વિસ્તાર પર કબ્જાને લઈને યુદ્ધ
ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રશિયાએ દખલગીરી કરી અને 1994માં સીઝફાયર થયુ.વર્તમાન સમયમાં આ વિસ્તાર આમ તો અઝરબૈજાનમાં આવે છે,પરંતુ અહીં આર્મેનિયાના ભાગના લોકો વધારે છે એવામાં આર્મેનિયાની સેનાએ આને પોતાના કબ્જામાં લીધેલો છે.લગભગ ચાર હજાર વર્ગ કિમીનો આ સમગ્ર વિસ્તાર પહાડી છે, જ્યાં તણાવની સ્થિતિ રહે છે.વર્તમાન તણાવ 2018મા શરૂ થયો હતો,જ્યારે બંને સેનાએ બોર્ડરથી નજીક વિસ્તારમાં પોતાની સેનાઓને વધારી દીધી હતી.
ક્યાં વસ્યા છે આ બંને દેશ?
આર્મેનિયા અને અઝરબૈજાન પાડોશી દેશ છે જે એશિયામાં જ આવે છે.પૂર્વમાં બંને જ સોવિયત સંઘનો ભાગ રહ્યા છે અને યુરોપની બિલકુલ નજીક છે.ભારતથી લગભગ ચાર હજાર કિમીના અંતરે વર્તમાન આર્મેનિયા અને અઝરબૈજાન ઈરાન અને તુર્કીની વચ્ચે આવે છે.