By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીન સરહદે બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે : મનમોહનનો કટાક્ષ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીન સરહદે બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે : મનમોહનનો કટાક્ષ
GeneralInternational

ચીન સરહદે બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે : મનમોહનનો કટાક્ષ

HM News
Last updated: 18/02/2022 6:22 AM
HM News
3 years ago
Share
SHARE

– મોંઘવારી,રોજગારી,વિદેશનીતિ,અર્થતંત્રમાં સરકાર નિષ્ફળ દેશની સ્થિતિ સારી જ છે,મનમોહનસિંહથી આવી ઝાટકણીની અપેક્ષા ન હતી : નાણામંત્રી નિર્મલા સીતારામનનો જવાબ

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચીન સરહદે ઘૂસીને બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે.ભૂલોમાંથી બોધપાઠ લેવાને બદલે સરકાર બધા જ દોષનો ટોપલો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ઉપર ઢોળી દે છે.વર્તમાન સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાનું પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે મોદી સરકારની તમામ નીતિઓ ભૂલભરેલી સાબિત થઈ છે.મોંઘવારી,બેરોજગારી,આૃર્થતંત્ર,ખેડૂતો સહિતના તમામ સળગતા મુદ્દા ઉપર સરકારની નીતિ સરિયામ નિષ્ફળ ગઈ છે.ભૂલો સુધારવાને બદલે સરકાર માત્ર દોષારોપણ કરે છે.છેલ્લા સાત વર્ષથી મોદી સત્તામાં છે,

તેમણે એનું સરવૈયુ કાઢવાને બદલે અને એમાંથી થયેલી ભૂલો સુધારવાને બદલે આજેય થતી તમામ સમસ્યાઓ નેહરૂ જવાબદાર હોય એમ દર્શાવે છે.તેમણે ચીન અંગેની વિદેશ નીતિ બાબતે પણ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે ચીન સરહદે બેસી ગયું છે જ્યારે સરકાર સત્ય છૂપાવવાની મથામણમાં પડી છે.

પંજાબની ચૂંટણી પહેલાં મનમોહન સિંહે આ નિવેદન આપ્યું હતું.પૂર્વ વડાપ્રધાને કેન્દ્ર સરકારની ખેડૂતો અંગેની પોલિસીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ખેડૂતોએ મહિનાઓ સુધી પરેશાની વેઠી છતાં સરકારે તેમની વાત ન સાંભળી.કોંગ્રેસે ક્યારેય રાજકીય લાભ લેવા ભાગલાવાદી નીતિ નથી અપનાવી,પરંતુ ભાજપે દેશમાં ભાગલાવાદી નીતિ અપનાવી છે.

ભાજપ જૂઠાણા અને ભાગલાવાદી માનસિકતા પર ચાલતી પાર્ટી છે.પંજાબમાં મોદીની સુરક્ષામાં ગરબડ થઈ તેનો ઉલ્લેખ પણ પૂર્વ વડાપ્રધાને કર્યો હતો.તેમણે કહ્યું કે પીએમની સુરક્ષાના મુદ્દે બધો જ દોષનો ટોપલો મુખ્યમંત્રી ઉપર ઢોળીને સરકારે એક મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની માનસિકતા ઉપર આધારિત છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને મનમોહન સિંહને જવાબ આપ્યો હતો.નિર્મલા સીતારામને કહ્યું હતું કે દેશ ખૂબ જ સારી સિૃથતિમાં છે.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા વિદ્યાન માણસ પાસેથી આવી અપેક્ષા ન હતી.મનમોહન સિંહ પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિવેદનો આપતા હોય એમ લાગે છે.મહામારી છતાં દેશ ગત વર્ષોની તુલનાએ ઝડપભેર આિર્થક પ્રગતિ કરી રહ્યો છે.

રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી
ગુજરાત હાઇકોર્ટ ખુલી રહી છે..16 સપ્ટેમ્બરથી કડક નિયમો સાથે શરુ થશે કામકાજ
શાહ માની ગયા હોત તો આજે BJPના CM હોત, ફડણવીસના ડિપ્ટી બનતા ઠાકરેનો કટાક્ષ
કોરોનાનો ઈલાજ હાથવગો : ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો
રાજકોટ DGFTના જોઇન્ટ ડિરેક્ટરનો આપઘાત : CBI રેડમાં 5 લાખની લાંચ લેતા પકડાયેલા
Share This Article
Facebook Email Print
Previous Article ભાગલા પાડો, રાજ કરો તે કોંગ્રેસની નીતિ છે : મોદીના ચન્ની પર ચાબખા
Next Article મહીસાગર SOGને મળી મોટી સફળતા : 4.20 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up