By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચૂંટણીનો જંગ : 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા આટલા ઉમેદવારો મેદાનમાં, 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચૂંટણીનો જંગ : 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા આટલા ઉમેદવારો મેદાનમાં, 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
GeneralGujarat NowPolitics

ચૂંટણીનો જંગ : 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા આટલા ઉમેદવારો મેદાનમાં, 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

HM News
Last updated: 10/02/2021 7:14 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે.બીજી તરફ ગઈકાલે ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો.જેના બાદ મોડી સાંજે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં 771, વડોદરામાં 287,સુરતમાં 484,જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે.તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે.તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે.

બહુપાંખિયો જંગ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ કુલ મળીને 1704 ફોર્મ ભર્યા હતાં.શહેરના 48 વોર્ડમાં 192 બેઠકોની ચૂંટણી માટે 1252 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી તૈ પૈકી 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતાં.આજે જયારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે કુલ મળીને 23 ઉમેદવારોએ ચૂંટણી લડવાનુ ટાળ્યું હતુ.ઉમેદવારોને ભાજપ-કોંગ્રેસને સમર્થન આપી ચૂંટણી મેદાનેથી પીછેહટ કરી લીધી હતી.ઉમેદવારોને ફોર્મ પાછા ખેચાવવા ભાજપ-કોંગ્રેસે રાજકીય કાવાદાવા કર્યા હતાં. મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકામાં હવે 771 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોના પાસાને ધ્યાનમાં લીધુ હતુ.પાટીલના શાસનમાં ભાજપમાં પાટીદારોનુ પ્રભુત્વ બરકરાર રહ્યુ છે કેમકે, અમદાવાદ શહેરમાં ભાજપે સૌથી વધુ 46 પાટીદારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે.ગત ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લીધે ભાજપને ઘણુ ભોગવવુ પડયુ હતું.જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિપરીત પરિણામ આવ્યા હતાં.પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં હતાં પણ હવે પરિસ્થતિથી બદલાઈ છે.

જૂનાગઢમાં PM મોદીના આગમન પહેલા NCP મહિલા પ્રમુખ રેશમા પટેલની અટકાયત : જુઓ (VIDEO)
ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત
મહારાષ્ટ્રમાં 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરાઈ
અફઘાનિસ્તાનમાં મહિલાઓને પગથી માથા સુધી બુરખો પહેરવાનું તાલિબાની ફરમાન
100 કરોડ વેકસીન ડોઝ ભારતના સામર્થ્યનું પ્રતિબિંબ: મોદી
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં કોંગ્રેસ લડ્યા પહેલાં ત્રણ બેઠક હારી ગઈ
Next Article ઈરાનના મુસ્લિમ મૌલવીનો અનોખો દાવો, કોરોના રસી મુકાવવાથી લોકો બનશે ‘ગે’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up