ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર આગામી ત્રણ મહિનામાં નવી પાર્ટીની જાહેરાત કરશે

HM News
2 Min Read

પટના : દેશમાં ચૂંટણી રણનીતિકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોરે બિહારમાં જન સુરાજને લઈને પોતાના પ્લાન અંગે ખુલાસો કર્યો છે.જોકે, પ્રશાંત કિશોરે કોઈ નવી પાર્ટીની જાહેરાત કરી નથી, પરંતુ એવા સંકેત આપ્યા નથી કે એ આગામી 3 થી 4 મહિનામાં પાર્ટીની જાહેરાત કરી શકે છે.પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં પરિવર્તનનો વિચાર ધરાવતા 17 હજારથી વધુ લોકોને પોતાની સાથે જોડ્યા છે.હવે આ તમામ લોકો સાથે ચર્ચા કરશે અને જો એમાં મોટાભાગના લોકોનો એક મત છે તો કોઈ સંગઠન કે પાર્ટીની રચના કરશે.આ સાથે પ્રશાંત કિશોરે 3000 કિ.મીની પદયાત્રાની પણ જાહેરાત કરી છે.આ પદયાત્રાનો આરંભ બીજી ઓક્ટોબરથી પશ્ચિમ ચંપારણથી કરશે.પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારમાં નવા વિચાર સાથે પરિવર્તનની આવશ્યકતા છે.બિહારના એવા લોકો જે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ક્ષમતાવાન છે અને બિહારમાં પરિવર્તન લાવવા માટે જુસ્સો ધરાવે છે, એવા લોકોને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પ્રશાંત કિશોરે વધુમાં એમ ઉમેર્યું કે, છેલ્લા 4-5 મહિનામાં એવા 17000 લોકોને ઓળખવામાં આવ્યા છે, જેમની સાથે વ્યક્તિ રીતે મુલાકાત કરીશ અને જે સુરાજનો વિચાર ધરાવે છે, તેમના સાથે સંવાદ કરીશ.આગામી 10 થી 15 વર્ષમાં અગ્રણી રાજ્યની શ્રેણીમાં બિહારે આવવું છે તો હાલ જે રસ્તા પર ચાલી રહ્યું છે, એ રસ્તાથી પહોંચી શકશે નહીં.આ માટે નવો વિચાર અને નવતર પ્રયાસ જરૂરી છે.બિહારના લોકો જ્યાં સુધી સાથે મળીને નવા વિચારની પાછળ તાકાત નહીં લગાડે, ત્યાં સુધી બિહારની દશા અને દુર્દશા સારી થઈ શકશે નહીં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *