કોવિડ-૧૯ના લીધે લોકડાઉન ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું હોવાથી ઈન્ડિગોએ મંગળવારે જણાવ્યું હતું કે,તે ચોથી મેથી ફલાઈટ સર્વિસીસ તબકકાવાર ધોરણે શરૂ કરશે.પ્રારંભમાં તો અમે થોડી ઓછી ક્ષમતા સાથે સર્વિસ શરૂ કરીશું,પછીના મહિનાઓમાં અમે કાર્યકારી ક્ષમતા વધારીશું એમ ઈન્ડિગોએ જણાવ્યું હતું.ઈન્ડિગો પસંદગીની આંતરરાષ્ટ્ર્રીય ફલાઈટ પણ શરૂ કરશે અને તેનો આધાર વર્તમાન આંતરરાષ્ટ્ર્રીય પ્રવાસ ધારાધોરણો પર રહેશે.આ વાસ્તવમાં લોકડાઉન પછી મહત્વના એર કોરિડોરને ફરીથી જોડવાનો પ્રયાસ છે.ભારતની અગ્રણી એરલાઈન ઈન્ડિગો આ સાથે ચોથી મે ૨૦૨૦થી તેની ફલાઈટ કામગીરી શરૂ કરશે એમ તેમણે ઉમેર્યું હતું