અલ્હાબાદ : દેશમાં વધી રહેલા અનૈતિક સંબંધો વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધા વગર જ જે મહિલા તેના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહેતી હોય તેને કોર્ટના રક્ષણના અધિકાર નથી.હાઈકોર્ટે આશાદેવી અને સૂરજકુમારની અરજી વિચારણા માટે આપી હતી અને તેઓ બન્ને વયસ્ક છે અને પતિ-પત્ની તરીકે સાથે રહે છે અને તેઓના જીવનમાં કોઈ દરમ્યાનગીરી કે સતામણી ન કરે તેવી દાદ માંગી હતી.આશા દેવીના લગ્ન મહેશ ચંદ્રા સાથે થયા હતા પણ તે પતિને છોડીને સૂરજકુમાર સાથે રહેવા ચાલી ગયા હતા. હાઈકોર્ટની બે જજોની ખંડપીઠે જણાવ્યું કે આશાદેવી પરણીત છે અને અરજદાર ખાસ કરીને સુશીલકુમાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 494 અને 495 હેઠળ અપરાધ દાખલ થઈ શકે છે.જેમાં છૂટાછેડા લીધા વગરના યુગલની મહિલા સાથેના સંબંધનો મુદો છે.આ સંબંધો એ લીવ-ઈન-રીલેશનની વ્યાખ્યામાં આવતા નથી. અરજદારે પોતાની સાથે રહેવાના કાનૂની અધિકારો આગળ ધરી શકે નહી.