છેલ્લાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં થઇ 10 હત્યા : જાણો કયા ખેલાયો ખુની ખેલ

HM News
2 Min Read

ગુજરાતમાં 24 કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના બની

છેલ્લાં 24 કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 નિર્મમ હત્યાઓની ઘટના બની છે.જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 નિર્મમ હત્યાના બનાવો બન્યા છે.ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના બની છે.સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે.બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે.સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં બનેલી 10 હત્યાઓ:

– સુરતના ડીંડોલી વિસ્તારમાં
– સુરતના વિમલનાથ સોસાયટી નજીક
– સુરતના લીંબાયત વિસ્તાર
– અમદાવાદના બાપુનગર
– અમદાવાદના નિકોલ
– જામનગરના લાલપુર બાયપાસ નજીક
– જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
– વડોદરાના બાપોદ ગામે
– રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ
– સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર

રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય,અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય,બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ,નકલી નોટો,ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને હોય,ત્યારે ભાજપ સરકાર-ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત-ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *