નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે.સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે.જો કે,છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 54044 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 7651107 સુધી પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન 61775 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે.આ સાથે જ આ આંકડો વધીને 6795103 સુધી પહોંચી ગયો છે.જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 740090 સુધી પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 717 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 115914 સુધી પહોંચી ગયો છે.જો કે,એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 88.81 ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 40782415 કેસ નોંધાઈ ચૂક્યા છે.જેમાંથી 1124684 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 27908258 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે.સમગ્ર દુનિયામાં અત્યારે 11749473 કેસ એક્ટિવ છે.સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા,બીજા સ્થાન પર ભારત,ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.