હાલ કોરોના મહામારીના કારણે ભારતના દરેક નાના-મોટા મંદિરો બંધ કરવામાં આવ્યા છે.જેને પગલે ભક્તોએ ભગવાનની સાથે પણ સોશિયલ ડિસ્ટનસિંગ રાખવાનો વારો આવ્યો છે. પરંતુ લાગે છે આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકોની જેમ ભગવાન પણ દૂર રહી નથી શકતા.એટલે તેઓ ઘરે બેઠા જ પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે.
દર વર્ષે જન્માષ્ટમીના દિવસે ભક્તો ભગવાનના દર્શન માટે દ્વારિકા જાય છે. આ વર્ષે ભગવાન પોતે ભક્તોના ઘરે દર્શન આપશે.આ દિવસે દ્વારકા મંદિરનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.આથી કૃષ્ણજન્મ પહેલા કરવામાં આવતી દરેક વિધિ ઘરે બેઠા જોઈ શકાશે.
દર વર્ષે ભગવાન કૃષ્ણના જન્મ પહેલા રાત્રે 10 કલાકે આરતી-પૂજા કરવામાં આવે છે.તેમાં લાલાને 1650 અભિષેક કરવામાં આવે છે.ત્યાર પછી દુધ,દહીં,ઘી,મધ અને સાકરનો પંચામૃતનો અભિષેક કરાય છે.આ તમામ વિધિઓ દરમિયાન વેદોક્ત,પુરાણોક્ત અને પુરૂષોક્ત મંત્રોચાર કરવામાં આવે છે.