મુંબઈ : જપ્ત કરેલી વિદેશી દારૃ નજીકના નાળામાં ઠાલવીને નષ્ટ કરી દેવાશે એવા મહારાષ્ટ્ર સ્ટેટ એક્સાઈસ ડિપાર્ટમેન્ટના નિવેદનથી વ્યથિત બોમ્બે હાઈ કોર્ટે અધિકારીઓને કાયદા અનુસાર સાવચેતીપૂર્વક અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.જો દારુનો નાળામાં નિકાલ કરતાં પહેલાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પરવાનગી લેવી પડે તો તેવું પણ કરવું જોઇએ એવું કોર્ટે જણાવ્યું હતું.દારૃનો નાશ કરવાની ઉતાવળમાં એક્સાઈસ ડિપાર્ટમેન્ટે વિશાળ જન આરોગ્યને જોખમમાં મૂકવું જોઈએ નહીં, એમ ન્યા.ગૌતમ પટેલ અને ન્યા.માધવ જામદારની ડિવિઝન બેન્ચે આદેશમાં જણાવ્યું હતું.કોર્ટ સમક્ષ ધલ્લ ફૂડ્સના માલિક વિક્રમજીત સિંહ ધલ્લ અને પ્રતીક પોપટ નામની વ્યક્તિએ કરેલી બે અરજીઓની સુનાવણી ચાલી રહી હતી. કથિત ગેરરીતિને કારણે ધલ્લનો વિદેશી દારૃ એક્સાઈસ ડિપાર્ટમેન્ટે જપ્ત કર્યો હતો.જે જગ્યામાં તે સ્ટોર કરાયો હતો તેને પણ સીલ કરી દેવાઈ છે.પોપટ આ જગ્યાનો એક માલિક હતો અને તેણે જગ્યાને અલ સીલ કરવાની દાદ માગી હતી.
ધલ્લે દારૃ એક્સપાયર્ડ થયો હોવાથી પાછો મેળવવામાં રસ નહીં હોવાનું જણાવ્યું હતું. આથી આટલી મોટી માત્રામાં દરૃનો નિકાલ કઈ રીતે કરશો એમ કોર્ટે પૂછતાં કોર્ટમાં હાજર અધિકારીએ તેને નાળામાં ફેંકી દેવાશેે અમે જણાવ્યું હતું.આથી કોર્ટે ટકોર કરીને કાયદાની પ્રક્રિયા અનુસારવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે સીલ કરાયેલી જગ્યા પર અનસીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.ધલ્લે નવી દિલ્હીથી લાવેલો દારૃ ડયુટી ચૂકવેલો વિદેશી દારૃ નથી એવો આરોપ કરીને એક્સાઈસ ડિપાર્ટમેન્ટ તેનો માલ જપ્ત કરી લીધો હતો.