– હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી
– શાસ્ત્રીનગર વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું
ઝારખંડના જમશેદપુરના શાસ્ત્રી નગરમાં ધાર્મિક ધ્વજની કથિત અપવિત્રતાને પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો અને આગચંપી બાદ ગઈકાલ સાંજથી આ વિસ્તારમાં ધારા 144 લાદવામાં આવી છે.અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી દીધી હતી.
ભીડને વિખેરવા માટે ટીયર ગેસ શેલનો ઉપયોગ
અધિકારીઓના જણાવ્યા અનુસાર,પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડમા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શાસ્ત્રીનગરમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
વિસ્તારમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો
સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા આ વિસ્તારમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સામાન્ય નાગરિકોને સહકાર આપવા વિનંતી કરી હતી.
શનિવારની રાતથી વિસ્તારમાં તણાવ
આ ઉપરાંત પોલીસે વધારેમાં આ ઘટના અંગે જણાવ્યું હતું કે, શનિવારની રાતથી વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો જ્યારે સ્થાનિક સંગઠનના સભ્યોને રામ નવમીના ધ્વજ પર ચોંટાડેલું માંસનો ટુકડો મળ્યો હતો.આ બાદ અહીંના માહોલને જોતા પોલીસ દ્વારા સલામતીના પગેલ આ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે.