– પશ્ચિમ બંગાળના બીરભૂમિ વિસ્તારમાં છૂપાયો હતો
– ભાજપના નેતાઓ તૃણમૂલ કોંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો આક્ષેપ કરે છે
કોલકાતા તા.11 : પશ્ચિમ બંગાળના બીરભૂમિ વિસ્તારમાં છૂપાયેલા જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક આતંકવાદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ઝડપી લીધો હતો.છેલ્લા કેટલાક સમયથી વિપક્ષો અને ખાસ તો ભાજપ તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ગેરકાયદે બાંગ્લાદેશી મુસ્લિમોને પનાહ આપે છે એવો આક્ષેપ સતત કરતા રહ્યા હતા.
આવતા વરસે એપ્રિલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થશે.મમતા પોતાની વોટબેંક તગડી રાખવા ગેરકાયદે શરણાર્થીઓને વસવાની તક આપે છે એવા આક્ષેપો પણ સતત થતા રહ્યા છે.સાથોસાથ ભાજપના નેતાઓ પર પણ અવારનવાર હુમલા થતા રહ્યા છે.હજુ બે દિવસ પહેલાંજ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના કાર કાફલા પર પથ્થમારો થયો હતો.આ સંદર્ભમાં હથિયાર સાથે ઝડપાયેલા આતંકવાદીના સમાચાર મહત્ત્વના બની રહે છે.
જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લા દેશ સ્થિત એક આતંકવાદી સંસ્થા છે.સિક્યોરિટી દળ હાલ આ આતંકવાદીની ઓળખ સ્થાપવાના પ્રયાસો કરી રહી હતી.ત્યારબાદ એની પૂછપરછ શરૂ કરાશે.