જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા વાપીના તબીબ સામે કાર્યવાહીનો હુકમ

HM News
2 Min Read

વલસાડ, 10 જૂન : કચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીની નિયમિત જામીન અરજી ભચાઉ કોર્ટ દ્વારા ફગાવી દેવાઇ છે. કોર્ટને ગેરમાર્ગે દોરી મનીષાએ પોતાના પતિની બીમારી અંગે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરતા કોર્ટે મનીષાની જામીન નામંજૂર કરીને ખોટું તબીબી પ્રમાણપત્ર આપનાર વાપીના તબીબ સામે પણ કાર્યવાહીનો હુકમ કરતા તબીબોમાં ખળભળાટ મચી ગયો છે.

જામીન અરજી ફગાવાઈ.કચ્છના જયંંતિ ભાનુશાળી હત્યા કેસમાં સામેલ વાપીની મનીષા ગોસ્વામીની ધરપકડ બાદ 18 મે 2020ના રોજ તેણે ભચાઊની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં મનીષાએ વાપીમાં રહેતા તેના પતિ ગજ્જુગિરી ગોસ્વામીને હાર્ટ તથા બીપીની ગંભીર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોર્ટે જામીન અરજી અને સાથે રજૂ કરેલા મેડિકલ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજનું અવલોકન કર્યા બાદ જામીન અરજી ફગાવી દીધી હતી.

પુરાવામાં મહત્વનું એવા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું જણાવી આવતા વાપી જીવનદીપ હોસ્પિટલના ડો.સુનિલ સક્સેના સામે પણ કોર્ટે શનિવારે કાર્યવાહી કરવાનો હુકમ કરતા તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો.ડો.સુનિલ સક્સેનાએ તબીબી સેવાની શરૂઆત વાપી હરિયા હોસ્પિટલથી જનસેવા હોસ્પિટલ, ઉષા હોસ્પિટલ અને છેલ્લે આયુષ હોસ્પિટલ છોડી જીવનદીપ હોસ્પિટલથી જોડાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

કોર્ટને શંકા જતા તબીબની પૂછપરછ હાથ ધરાઇ. 12મે ના રોજ આરોપી મનીષાએ કોર્ટમાં જામીન અરજીમાં વાપીના ડો.તબીબનું મેડિકલ સર્ટિ.પણ તે જ તારીખનું રજુ કર્યું હતું.કોર્ટને શંકા જતા આ અંગેની તપાસ પોલીસને સોંપી હતી. પોલીસે વાપી જીવનદીપ હોસ્પિટલના ડો.સુનિલ સક્સેનાથી પૂછપરછ કરતા ડોક્ટરે કબૂલ્યું હતું કે, મનીષા જેલમાં હોવાથી તેનો પતિ 12મી મેના રોજ જામીન અરજી માટે મેડિકલ સર્ટિફિકેટ લેવા આવતા ખોટું સર્ટિ. તેમણે બનાવી આપી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *