મુંબઈ : મહારાષ્ટ્રમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા- ઉદ્ધવ સરકારમાં મંત્રી જયંત પાટિલના દાવાથી રાજકારણ ગરમાયું છે.પાટીલનો દાવો છે કે,મહારાષ્ટ્રમાં ભાજપના 10થી વધુ ધારાસભ્યો પાર્ટીથી નારાજ છે.આ ધારાસભ્યો ભવિષ્યમાં NCPમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
હાલ મહારાષ્ટ્રમાં NCP શિવસેના સાથે મહાવિકાસ અઘાડી (MVA)નો હિસ્સો છે.જેમાં કોંગ્રેસ ત્રીજી સહયોગી પાર્ટી છે.રાજ્યમાં ભાજપ વિપક્ષી પાર્ટી છે.જયંત પાટીલે મીડિયાને જણાવ્યું કે, BJPના 10થી વધુ ધારાસભ્યોપાર્ટીથી અસંતુષ્ટ છે.તેઓ ખુદની પાર્ટીની વ્યવસ્થાથી નારાજ છે.તેમણે આ અંગે અમારી સાથે અનેક વખત વાત કરી છે.આથી ભવિષ્યમાં તેમના વિશે નિર્ણય લેવામાં આવી શકે છે
રાજ્યના જળ સંશાધન મંત્રી પાટીલે જનસુરાજ્ય પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને NCPમાં સામેલ કર્યા બાદ આ વાત જણાવી હતી.તાજેતરમાં BJPના દિગ્ગજ નેતા એકનાથ ખડસે અને જયસિંહ ગાયકવાડ કમળનો સાથે છોડીને NCPમાં સામેલ થઈ ગયા છે
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે,મહાવિકાસ આઘાડીમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે,જો કોઈ વિપક્ષના ધારાસભ્ય રાજીનામું આપીને NCP, શિવસેના કે કોંગ્રેસમાં સામેલ થાય છે,તો અન્ય બે પાર્ટીઓ BJP વિરુદ્ધ તેમની ઉમેદવારીનું સમર્થન કરશે