જાણો, ભારતનું આ શહેર દુનિયામાં બીજા ક્રમનું સૌથી ઘોંઘાટિયું, નામ જાણીને ચોકકસ ચોંકી જશો

HM News
2 Min Read

વોશિંગ્ટન,28 માર્ચ,2022,સોમવાર : ધ્વની પ્રદૂષણ પર યુએનના એનવાર્યમેન્ટ પ્રોગામનો એક અહેવાલ પ્રગટ થયો છે જેમાં દુનિયામાં બીજા ક્રમનું સૌથી ધ્વની પ્રદૂષિત શહેર ભારતનું છે.દક્ષિણ એશિયાના શહેરો આમ પણ અવાજ પ્રદૂષણ માટે વગોવાયેલા છે પરંતુ નવાઇની વાત એ છે કે ભારતનું આ શહેર પ્રમાણમાં ઓછું જાણીતું છે.

1999માં ધ્વની પ્રદૂષણની ગાઇડલાઇન પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 55 ડીબી( ડેસિબલ) નકકી કરવામાં આવી છે જયારે ભારતના આ શહેરની સરેરાશ ડેસીબલ ધ્વની 114 જેટલી સાથે દુનિયામાં બીજા ક્રમે છે.

ભારતના આ શહેરનું નામ મુરાદાબાદ છે.મુરાદાબાદ ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં આવેલા 75 જિલ્લાઓમાંનું એક જિલ્લા મથક શહેર છે.રામગંગા નદીના કાંઠે વસેલું આ શહેર પીતળ ધાતુ પર કરવામાં આવતા હસ્તશિલ્પ માટે દુનિયામાં ફેમસ છે.અમરોહાથી 30 કિમી દૂર આવેલું ઘણું જ પ્રાચીન શહેર છે.

ધ્વની પ્રદૂષણની આ યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા (119 ડેસિબલ) ધ્વની સાથે પ્રથમ નંબરે જયારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ105 ડેસિબલ સાથે ત્રીજા સ્થાને છે.વિયતનામની રાજધાની હો ચી મિન્હ સિટી (103 ડેસિબલ) નાઇજીરિયાનું ઇબાદાન સિટી ( 101 ડેસિબલ) નેપાળનું કુપાડોલ (100 ડેસિબલ) સાથે ટોચના ધ્વની પ્રદૂષિત શહેરો છે.

જયારે જોડર્નના ઇરબિદને અવાજના ઓછા પ્રદૂષણની દ્વષ્ટીએ સૌથી શાંત શહેરનો દરજજો મળ્યો છે.આ શાંત શહેરોની યાદીમાં ફ્રાંસના લિયોન અને સ્પેનના મેડ્રિડનો પણ સમાવેશ થાય છે.સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના વાર્ષિક ફન્ટીયર રિપોર્ટ 2022માં પ્રગટ માહિતી મુજબ આ રિપોર્ટમાં 61 શહેરોનો સમાવેશ થાય છે.ભારતના પાંચ શહેરોમાં મુરાદાબાદ ઉપરાંત કોલકતા (89 ડેસિબલ) આસનસોલ (89 ડેસિબલ) જયપુર 84 (ડેસિબલ) અને દિલ્હી 83 (ડેસિબલ) અવાજ ધરાવે છે.

ધ્વની પ્રદૂષણ – આધુનિક જીવનશૈલીમાં પ્રદૂષણનો નવો પ્રકાર

અનિચ્છનિય અને તણાવ પેદા કરતા અવાજનો ધ્વની પ્રદૂષણમાં સમાવેશ થાય છે.આધુનિક જીવનશૈલીમાં આ પ્રદૂષણનો એક નવો પ્રકાર છે.માણસની અવાજ સાંભળવાની પણ એક ચોકકસ ક્ષમતા છે.તેના કરતા વધારે અવાજ સતત પડઘાતો રહે તો તે શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડે છે.

ભીડવાળા સ્થળ,યાંત્રિકીકરણ,સંગીતનો શોરબકોર,વાહનો,ટ્રેન,વિમાનોનો અવાજ,ઇલેકટ્રોનિક ઉપકરણો,મશીનો વગેરેથી થતું ધ્વની પ્રદૂષણ નુકસાન કરે છે.80 ડેસિબલથી વધુ અવાજ માણસની સાંભળવાની અને યાદશકિત પર વિપરિત અસર કરે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *