જાણો, વધુ પપૈયા આરોગવાથી સ્કિનની થઇ શકે છે આવી બિમારી ત્વચાનો રંગ બદલાઇને થઇ જાય છે પીળો

HM News
2 Min Read

નવી દિલ્હી,21 માર્ચ,2022,સોમવાર : પપૈયા ફળોમાં ખૂબ મહત્વનું ફળ છે તે સોફટ અને મધૂર હોવાથી બાળકોથી માંડીને વૃદ્ધો પણ સરળતાથી સેવન કરે છે પરંતુ એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વધુ માત્રામાં પપૈયુ ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.પપૈયાના પાન ડેન્ગ્યું જેવી બીમારીમાં આશિર્વાદરુપ છે પરંતુ એક રિસર્ચ અનુસાર પપૈયાના અતિ સેવનથી ત્વચા સંબંધી બીમારી ઉપરાંત પણ શરીર પર કેટલીક નકારાત્મક અસરો પડે છે જેનું નામ કેરોટીનિમિયા આપવામાં આવ્યું છે.

આ એક એવી તકલીફ છે જેમાં ત્વચાનો રંગ બદલાઇને વિચિત્ર પ્રકારનો પિળો થઇ જાય છે.કેરોટીનીમિયા ત્વચાનું એક પ્રકારનુ વિકૃતિકરણ છે.પગના તળિયા અને હાથ પીળા જયારે આંખ સફેદ જેવી થાય છે. આ લક્ષણો કમળાનો રોગ થયો હોય તેવા જણાય છે.

નેશનલ સેંટર ફોર બાયો ટેકનોલોજી ઇન્ફોર્મેશન દ્વારા થયેલા સ્ટડી-2019માં પણ જણાવાયું હતું કે કેરોટીનીમિયાના મુખ્ય તો વધુ માત્રામાં બીટા –કેરોટીનનું સેવન કરવાથી થાય છે,બીટા કેરોટીનનું પ્રમાણ પપૈયામાં વધારે હોય છે આથી પપૈયાનું પ્રમાણસર જ સેવન કરવું જરુરી છે.

જે લોકોને શ્વાસ સંબંધી બીમારી કે સમસ્યા હોય તેમને પણ પપૈયો વધારે આરોગવો જોઇએ નહી.શ્વાસ સંબંધી ખાસ તો અસ્થમાના દર્દીઓએ પપૈયાનો ઉપયોગ ઓછો કરવો જોઇએ કારણ કે પપૈયા આરોગવાથી શ્વાસની તકલીફ ધરાવનારાને એલર્જી થવાનો ભય વધી જાય છે.

પપૈયામાં રહેલું ફાયબર પાચનમાં ખૂબ મદદ કરે છે પરંતુ તે કેટલીક પેટ સંબંધી સમસ્યાઓ પણ પેદા કરે છે વધુ સેવન કરવાથી પેટ દર્દ પણ થઇ શકે છે.પપૈયાનું સેવન ઉપરાંત ચહેરા પર ફેસપેક તરીકે પણ ઉપયોગ થાય છે તેનું કારણ પપૈયામાં પેપેન એન્ઝાઇમ હોય છે

જો એન્ઝાઇમનું વધારે સેવન થાય તો તે સંવેદનશીલ ચામડી ધરાવતા લોકોમાં એલર્જી પેદા કરી શકે છે આથી તેના ચેહરા અને ત્વચા પર રેશેઝ પણ દેખાવા લાગે છે આ ઉપરાંત પપૈયાનું વધુ સેવન પુરુષોમાં કિડની સ્ટોનનો ખતરો પણ વધારે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *