By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો
GeneralNational

જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો

HM News
Last updated: 26/07/2022 7:52 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022 મંગળવાર : છેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે સરકારે ITR દાખલ કરવાની સમય મર્યાદા વધારી દીધી હતી.આ વર્ષે સ્થિતિ અલગ છે કેમ કે કેન્દ્ર સરકાર સમય મર્યાદા વધારવા મુદ્દે વિચાર કરી રહી નથી.સરકારે આ પગલુ ત્રણ વર્ષમાં પહેલીવાર લીધુ છે.રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે ગયા અઠવાડિયે કહ્યુ, હજુ સુધી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારવા વિશે કોઈ વિચાર કરાયો નથી.

આયકર રિટર્ન સાથે જોડાયેલી 5 મોટી વાતો

1. આયકર રિટર્ન નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતાઓ દ્વારા આ નાણાકીય વર્ષનો આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ છે.આ તે પ્રકારના કરદાતા છે જેમને પોતાના ખાતાને ઓડિટ કરાવવાની જરૂર હોતી નથી.

2. રેવન્યુ સેક્રેટરીએ કહ્યુ કે કરદાતાઓની સામાન્ય પ્રતિક્રિયા એ છે કે રિટર્ન ફોર્મ દાખલ કરવુ ખૂબ સરળ થઈ ગયુ છે અને રિફંડ પણ જલ્દી મળી રહ્યુ છે.ઈન્કમટેક્સ વિભાગે એક નવુ આઈટી ફાઈલિંગ પોર્ટલ લોન્ચ કર્યુ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પોર્ટલ ખૂબ મજબૂત છે અને વધારે બોજને ઉઠાવી શકે છે.

3. રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે કહ્યુ, ગઈ વખતે આપણી પાસે અંતિમ તારીખે રિટર્ન દાખલ કરનારાની સંખ્યા 50 લાખથી વધારે હતી.આ વખતે મે પોતાના લોકોને કહ્યુ છે કે તેઓ 1 કરોડ માટે તૈયાર રહે જે અંતિમ દિવસે પોતાનુ રિટર્ન ભરશે.

4. ગયા નાણાકીય વર્ષ 2020-21 માં 31 ડિસેમ્બર 2021ની વધારાયેલી તારીખ સુધી લગભગ 5.89 કરોડ આઈટીઆર દાખલ કરવામાં આવ્યા હતા.આઈટીઆર દ્વારા વ્યક્તિને ભારતના ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ જમા કરવાનો હોય છે.આઈટીઆરમાં ખાસ નાણાકીય વર્ષ દરમિયાન વ્યક્તિની આવક અને તેની પર ચૂકવણી કરવામાં આવેલા ટેક્સ વિશે જાણકારી હોય છે.

5. જો કોઈ વ્યક્તિની આવક છૂટની મર્યાદાથી વધારે હોય તો તેને ટેક્સ રિટર્ન દાખલ કરવાનુ થશે.નવી કર વ્યવસ્થા હેઠળ,છૂટની મર્યાદા 2.5 લાખ નિર્ધારિત કરવામાં આવી છે.જૂની વ્યવસ્થા હેઠળ 60 વર્ષ કરતા ઓછી ઉંમર માટે છુટની મર્યાદા 2.5 લાખ છે. 60થી 80 વર્ષની વચ્ચેના લોકો માટે 3 લાખ અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા માટે 5 લાખ છે.

અમેરિકાના વિજ્ઞાનીએ કોરોનાવાયરસનો ઈલાજ કરતી દવા શોધી કાઢી
આર્ય સમાજનું લગ્ન સર્ટિફિકેટ માન્ય નથી : સુપ્રીમ
ઝુબૈર બાદ હવે તેના સાથીદારનો વારો ? જે ‘હનુમાન ભક્ત’ના ટ્વિટના કારણે ઝુબૈર પકડાયો તેણે પ્રતીક સિન્હા વિરુદ્ધ પણ કરી ફરિયાદ
જામનગર : વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો
દારૂના 8 કેસના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કારગિલ વિજય દિવસ : જાણો ભારતીય સૈનિકોના શૌર્ય અને સાહસથી ભરેલી વિજયયાત્રાની સફર વિશે
Next Article પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up