ટૉક્યો,તા.૨૩
જાપાનના દરિયાકાંઠા પર રહેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝમાં સવાર કુલ ૩,૭૧૧ પૈકી ૧૩૮ ભારતીય નાગરિકોમાંથી વધુ ચાર ક્રુ સભ્યોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિત ભારતીય નાગરિકોની સંખ્યા ૧૨ થઈ ગઈ હોવાનું ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે.
ગત સપ્તાહે સંક્રમણથી બચવા માટે અલગ રાખવામાં આવેલા લોકોનો સમય ગાળો પૂર્ણ થતા તેઓએ શિપ છોડવાનું શરૂ કરી દીધું છે. જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશિહિદે સુગાએ જણાવ્યું છે કે અંદાજે એક હજાર જેટલા પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ શિપ પર જ રહેશે. કોવિડ-૧૯ (કોરોના વાયરસ) ગ્રસ્સ લોકોની વધુ નજીક હોય તેવા વધુ ૧૦૦ મુસાફરોને શિપમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે આ જથ્થામાં ચાર ભારતીય ક્રુ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ભારતીય દૂતાવાસે ટ્વીટમાં જણાવ્યું હતું. આ અગાઉ આઠ જેટલા ભારતીયો કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે તમામ લોકો પર સારવારની સારી અસર થઈ રહી છે.
ક્રુઝ પર ૧૩૮ ભારતીયો છે જે પૈકી ૧૩૨ ક્રુ સભ્યો છે જ્યારે છ મુસાફરોનો સમાવેશ થાય છે. જાપાનના યોકોહામા પોર્ટ ખાતે આ ક્રુઝને લાંગરવામાં આવ્યું છે. હોંગકોંગમાં આ ક્રુઝ પરથી ઉતરેલા એક મુસાફરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો અને ત્યારબાદ જાપાનના દરિયાકાંઠે આ જહાજ બે મહિનાથી ઊભું છે. આ ક્રુઝના બે પૂર્વ પ્રવાસીઓ કોરોનાને લીધે મુત્યુ પામ્યા છે. જાપાન સત્તાધીશો આ માટે લોકોને અલગ પાડીને કોરોનાથી સંક્રમિત ના થાય તે રીતે તેમને થોડા દિવસ અલગ પાડીને શિપ પર રાખે છે.
જાપનની ક્રુઝ પર વધુ ત્રણ ભારતીયોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, કુલ સંખ્યા ૧૨ થઈ

Leave a Comment