– એક જ પરિવારના 3 લોકોનો આપઘાત: ભાણવડના ગાયત્રીનગર વિસ્તારનો બનાવ
– ઝેરી દવા પી ત્રણ મહિલાઓએ આપઘાત કર્યો, 7 દિવસ પહેલા જામનગરથી રહેવા આવ્યા હતા
– આપઘાત અંગે ભાણવડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
દેવભૂમિ દ્વારકામાં ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.દીકરી,માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લીધો છે.ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા હતા.
આજે વહેલી સવારે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.ત્રણેય મહિલાઓ જામનગર રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આપઘાતના બનાવથી જીલ્લામાં ચકચાર મચી ગયો છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, મુળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો.જ્યાં ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉવ.18), માતા નૂરજહાબાનું નુરમામદ શેખ (ઉવ. 42), અને સાસુ નમબાનુ સરવણીયા (ઉવ. 63)એ એક સાથે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે.આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતક મહિલાઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે.