By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામનગરની પ્રજા – વેપારીઓ – ધંધાર્થીઓ – બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલ નથવાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જામનગરની પ્રજા – વેપારીઓ – ધંધાર્થીઓ – બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલ નથવાણી
GeneralSaurashtra

જામનગરની પ્રજા – વેપારીઓ – ધંધાર્થીઓ – બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલ નથવાણી

HM News
Last updated: 24/09/2020 11:20 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ, તા. ૨૪ : જામનગરના પોલીસ વડા તરીકે શ્રી દિપેન ભદ્રાનની વરણીને આવકારતા રાજયસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વીટર હેન્ડલ ઉપર લખ્યુ છે કે તમારી સકારાત્મકતા જામનગરના કાનુનપ્રીય નાગરીકોને, જમીન માલિકોને, બિલ્ડરોને, ધંધાર્થીઓને, વેપારીઓને, ફેકટરી માલિકોને મોટી રાહત પહોંચાડાશે.

શ્રી પરિમલભાઈએ ખૂબ જ વ્યથિત અને આક્રોશથી જણાવેલ કે જામનગરની ઈમેજ શાંતિપ્રીય તરીકે હતી.પરંતુ છેલ્લા કેટલાક સમયથી જયેશ પટેલના કરતુતોથી ચારેકોર ભય ફેલાયો છે.વેપારીઓ, બિલ્ડરો સહુ કોઈ ભયભીત બન્યા ે. બેફામ માફીયાગીરી વધી છે,કોઈનો પણ ધંધો સારો ચાલે એટલે માફીયાગીરી શરૂ થાય, ફોન આવે, લાખો – કરોડોની રકમમાં નાણા પડાવાય છે. વેપારીઓ – ધંધાર્થીઓ – બિલ્ડરો કહે છે કે અમારે જામનગરમાં રહેવું કઈ રીતે, ધંધો – વેપાર કેમ કરવો?

પરિમલભાઈ નથવાણીએ જણાવેલ કે જામનગર રેન્જ આઈજી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે.ચોક્કસ પોલીસો પણ આ માફીયાના ખબરી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. જે ભયજનક છે.આઈજીની પૂરી જવાબદારી છે,એવું કહે છે કે મારી પાસે કોઈ ફરીયાદ આવે તો જોઈ લઉં છંુ.પરિમલભાઈ કહે છે કે તો પછી લોકો ભયભીત કેમ છે? કેમ આટલા કેસો છતા જયેશ પટેલ બિન્દાસ્ત વરતી રહેલ છે.

લોકો ભય વિના કામ કરી શકે તે તેમની ફરજ છે. જયેશ પટેલ દૂર બેઠા બેઠા જામનગરમાં ભય ફેલાવે તે હરગીઝ ન ચાલે.તેમણે કહ્યું ૧૫ થી ૨૦ બનાવોમાં લાખો – કરોડો ખંખેર્યા છે. ત્યારે આ માફીયાને કોનું રક્ષણ છે?તેમણે આશા દર્શાવેલ કે જામનગરના નવા પોલીસ વડા સત્વરે લોકોનો ભય દૂર કરવા આકરા પગલાઓ જરૂર લેશે.તેમના કહેવા મુજબ જામનગરના પ્રતિષ્ઠિત વર્ગમાં વેપારીઓ, બિલ્ડરો સહિતના ધંધાર્થીઓમાં ભારે ખોફ પ્રવર્તે છે.તેમનો સીધો ઈશારો પોલીસ તંત્ર દ્વારા માફીયાઓને છાવરવામાં આવતા હોવા તરફ હતો.

પરિમલભાઈના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ

આજે આંધ્રના સાંસદ અને રિલાયન્સ પરિવારના શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરી રાજકોટ – જામનગર સહિતના વિસ્તારોના રેન્જ આઈજીના નામજોગ ગંભીર વિસ્ફોટ કરતા કહ્યંુ છે કે મને ખબર નથી આ વાત સાચી છે કે ખોટી,પરંતુ કેટલાક લોકોને શંકા છે કે રેન્જ આઈજી સંદિપ સીંઘે ભૂતકાળમાં કેટલાક રાજકારણીઓ સાથેની સાંઠગાંઠથી ગુન્હેગારોની તરફેણમાં કેટલાક કેસો ‘સેટલ’ કર્યા હતા.તેમના આ ટ્વીટે મોટો વિસ્ફોટ અને ભડકો સર્જયો છે.

અમે અસામાજીક પ્રવૃતિ ડામવા કટીબદ્ધ છીએ, સખ્ત કાર્યવાહી કરી છે, કરતા રહેશું : સંદીપસિંહ

રાજકોટના રેન્જ આઈજી શ્રી સંદિપસિંઘે અકિલાને જણાવેલ કે કોઈપણ અસામાજીક પ્રવૃતિ ડામવા અમે કટીબદ્ધ છીએ.અમે કડક પગલાઓ લીધા જ છે અને ભવિષ્યમાં પણ લેતા રહીશુ. વિવાદોથી હંમેશ દૂર રહેલા શ્રી સંદિપસિંઘે મક્કમતાથી કહેલ કે આજ દિવસ સુધી અમે સમાજ વિરોધી તત્વો સામે આકરા પગલા લીધા જ છે, અને લેતા રહીશુ તેમ તેમણે કહ્યુ હતું.

હાલમાં NCBએ બે એફઆઇઆર નોંધી છે. એક (૧૫/૨૦) જેમાં દિપીકા, રકુલ અને સિમોનનું નામ છે અને આ ફરિયાદ સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સાથે જોડાયેલ છે અને બીજી (૧૬/૨૦)માં શ્રધ્ધા કપૂર અને સારા અલી ખાનનું નામ સામેલ છે જે બોલીવુડ સ્ટાર્સની સાથે ડ્રગ કાર્ટેલની લિન્ડ સાથે જોડાયેલા છે (૧૫/૨૦) અને (૧૬/૨૦) બંને સુશાંત કેસની એફઆઇઆરમાં કલમો છે.આ કલમ હેઠળ જ બોલીવુડ હસ્તીઓની પૂછપરછ કરાશે.ગોવા શુટીંગ કરવા ગયેલી દિપીકા આજે મુંબઇ માટે રવાના થશે તેમજ રકુલ સમન્સ નહિ મળવાનું બહાનુ બતાવી રહી છે અને ૨૬ સપ્ટેમ્બરે સારા અને શ્રધ્ધાની પૂછપરછ કરાશે

મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને શંકર શેઠ ટર્મિસન કરાશે
બીજેપીનું ‘રાજ’કારણ
ડાંગ ના ડુંગરડા ગામે પતિ પત્ની ના નજીવી ઝગડા માં બે બાળકો ના મોત પત્ની હોસ્પીટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
દિગ્વિજય સિંહને ગાંધી પરિવારની ચમચાગીરી કરવી ભારે પડી, પ્રિયંકાને લઈ જાહેરમાં થઈ ફજેતી
મહાદેવ, સોમનાથ, અલ્લાહ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે સ્પષ્ટતા કરી
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીના મોતાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાય
Next Article સરકાર સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ ગામડાઓ સુધી આંદોલન કરશે: પરેશ ધાનાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up