મુંબઇ : બાંગલા દેશમાં મંદિરો પર થઇ રહેલા હુમલા અને હિન્દુઓને હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે એ વિશે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શાયર અને ગીતકાર જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે લઘુમતીને કચડી નાખવાનો પ્રયાસ કરનારા કાયરો અને હિન માનસિક્તા ધરાવતા કોમવાદીઓ છે.
જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે બાંગલાદેશના પ્રમુખ શેખ હસીના ધર્મનિરપેક્ષ મૂલ્યોનું જતન કરવા માટે જાણીતા છે. છતા તેમના રાજમા કેમ આવી ઘટનાઓ બને છે? એમ તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ ંહતું.