By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાવેદ અખ્તરે VHP અને બજરંગદળના કાર્યકરોને તાલિબાનીઓની જેમ એકે-47 સાથે જોયા છે ખરા?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાવેદ અખ્તરે VHP અને બજરંગદળના કાર્યકરોને તાલિબાનીઓની જેમ એકે-47 સાથે જોયા છે ખરા?
GeneralNational

જાવેદ અખ્તરે VHP અને બજરંગદળના કાર્યકરોને તાલિબાનીઓની જેમ એકે-47 સાથે જોયા છે ખરા?

HM News
Last updated: 08/09/2021 8:01 AM
HM News
4 years ago
Share
SHARE

-સંઘના જૂથોની તાલિબાન સાથે સરખામણી બદલ વિહિપનો સવાલ
– અખ્તર જેવા દંભી મુસ્લિમ બુદ્ધિજીવીઓ પશ્ચિમનો વિરોધ તો કરે છે પણ સંતાનોને ત્યાં જ ભણવા મોકલે છે : નાયર

મુંબઈ : જાવેદ અખ્તરે તાલિબાનના આગમનને આવકારનાર મુસ્લિમોની ટીકા કરતા તાલિબાન અને આરએસએસ તેમજ અન્ય હિંદુવાદી જૂથોની વિચારસરણી વચ્ચે સમાનતા હોવાનું જણાવ્યું હતું.અલબત્ત તેમના નિવદેનનો તમામ હિંદુવાદી જૂથો તેમજ શિવસેનાએ પણ વિરોધ કર્યો છે.

જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તમામ જમણેરી જૂથોની વિચારસરણી એકસમાન હોય છે.તેમણે આરએસએસ,બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોની સરખામણી તાલિબાન સાથે કરી હતી.શિવસેનાએ અખ્તરના નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું છે કે આરએસએસ રાષ્ટ્ર નિર્માણમાં માને છે.તેની તાલિબાન સાથે સરખામણી યોગ્ય નથી.

વિશ્વ હિંદુ પરિષદના જોઈન્ટ સેક્રેટરી શ્રીરાજ નાયરે જાવેદ અખ્તરની ટીકા કરતા સવાલ પૂછયો હતો કે જાવેદ અખ્તરે કદી પણ આરએસએસ,બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને પોતાની સાથે એકે-47 સાથે ફરતા જોયા છે ખરા? નાયરે જણાવ્યું કે હિંદુત્વમાં માનનારા મહિલાઓનું સન્માન કરે છે,તાલિબાનની જેમ ઘેર ઘેર જઈને સ્ત્રીઓના અપહરણ નથી કરતા.હિંદુત્વમાં માનનારા મહિલાઓને વસ્તુ તરીકે નથી ગણતા.

નાયરે જણાવ્યું કે અખ્તરે તાલિબાનની ટીકા એક નિવેદનથી કરી પણ પછી સંતુલન જાળવવા તેની સરખામણી હિંદુવાદી જૂથો સાથે કરી નાખી.નાયરે અખ્તર સહિત મુસ્લિમ બુદ્ધિજીવીઓની દંભી વૃત્તિની ટીકા કરતા કહ્યું કે આવા લોકો પશ્ચિમની સભ્યતાનો વિરોધ તો કરે છે પણ પોતાના સંતાનોને પશ્ચિમમાં જ અભ્યાસ કરવા મોકલે છે.

આવા અગ્રણીઓ જ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરે છે.તેઓ અહીંની બહુમતિની ટીકા તો કરે છે પણ અફઘાનિસ્તાન જેવા ઈસ્લામિક રાષ્ટ્રોમાં જઈને રહેવાની તેમની હિંમત નથી.નાયરે અખ્તરને દંભી અને માનસિક સંતુલન ખોઈ બેઠેલા નિવૃત્ત વ્યાવસાયિક ગણાવ્યા હતા.

વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત
કર્ણાટકના કેરુરમાં બે સમુદાયોમાં હિંસા, કલમ 144 લાગુ
ઉદ્ધવ સમૂહને મળ્યું મશાલ નિશાન, બાલાસાહેબ સાથે છે ખાસ સંબંધ
અલવિદા બપ્પીદા… પિતાના અંતિમ સંસ્કાર માટે USથી મુંબઈ આવ્યો દીકરો
નિષ્ણાંતોનો ધડાકો, ભારત પણ કોરોના મામલે ઈટાલીના પગલે પગલે, થર્ડ સ્ટેજની ચેતવણી
Share This Article
Facebook Email Print
Previous Article Sony WF-10XM4: Headphones Are Our Absolute Favorite
Next Article Google’s Self-Designed Tensor Chips will Power Its Next
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up