સુરત : શિક્ષણ બોર્ડની માર્ચ 2020ની ધોરણ-10ની પરીક્ષામાં સુરતની 181 શાળાએ વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષામાં 20માંથી 20 ગુણ આપી કૌભાંડ આચાર્યું છે. જેથી શિક્ષણ બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ તપાસ હાથ ધરી છે.તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ 53 શાળાના આચાર્યોને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે.તે સાથે 73 શાળાના આચાર્યો પાસેથી આંતરિક ગુણ મૂકવાના પુરાવા માંગ્યા છે.
અહીં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રથી જણાય છે કે આખી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ શાળાના આચાર્યો,શિક્ષકો અને સંચાલકોને માત્ર બીજી વખત ભૂલ નહીં થાય,તેવી સૂચના જ આપશે.