By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જીએસટીમાં ત્રિમાસિક રિટર્ન પણ હવે ૧૩ તારીખે ભરવાના નિયમથી પળોજણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > જીએસટીમાં ત્રિમાસિક રિટર્ન પણ હવે ૧૩ તારીખે ભરવાના નિયમથી પળોજણ
BusinessGeneralNational

જીએસટીમાં ત્રિમાસિક રિટર્ન પણ હવે ૧૩ તારીખે ભરવાના નિયમથી પળોજણ

HM News
Last updated: 17/10/2020 7:09 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૧૭ : જીએસટીમાં દર મહિને અને દર ત્રણ મહિને રિટર્ન ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.આ નિયમ લાગુ કરવાને કારણે ત્રણ મહિને રિટર્ન ભરનારા વેપારીઓને રાહત થવાને બદલે મુશ્કેલી વધવાની સ્થિતી પેદા થઇ છે.

ત્રણ મહિને જે પણ વેપારીઓ રિટર્ન ભરતા હતા તેઓને એક મહિનાનો સમય મળતો હતો.આ એક મહિનામાં છેલ્લા ત્રણ માસના ડેટા એકત્ર કરીને તેના આધારે રિટર્ન ભરાતા હતા.જયારે નવા નિયમ પ્રમાણે ત્રણ મહિના પૂર્ણ થયા બાદ ૧૩ દિવસમાં જ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરી દેવાનું હોય છે.જો તે રિટર્ન ફાઇલ કરવામાં મોડું કર્યું તો રોજે રોજનો દંડ અને વ્યાજ સહિતની નોટિસ પણ વિભાગ દ્વારા કરદાતાને મોકલવામાં આવતી હોય છે.તેના કારણે વેપારીઓ,સીએ અને ટેકસ કન્સલટન્ટની પરેશાનીમાં વધારો થયો છે.

કારણ કે ટેકસ કન્સલ્ટન્ટ અને સીએએ ગણતરીના દિવસોમાં જ એક સાથે માસિક અને ત્રિમાસિક રિટર્ન ભરવાની સ્થિતિ સર્જાઇ છે.નવા નિયમ કારણે વેપારીઓની તકલીફ દૂર થશે તેવી આશા સેવવામાં આવી રહી હતી પરંતુ આ આશા ઠગારી નીવડી છે.જેથી આગામી દિવસોમાં આ મુદે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવનાર હોવાની શકયતા રહેલી છે.કારણ કે પહેલા ત્રિમાસિક રિટર્ન ભરવા માટે એક મહિનાનો સમય મળતો હતો.જયારે હવે થી ફકત ૧૩ જ દિવસ મળતા યહોવાના લીધે સમસ્યામાં વધારો થયો છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે પહેલા ત્રિમાસિક રિટર્ન ભરવા માટે એક મહિનાનો સમય મળતો હતો.તેમાં ઘટાડીને ૧૩ જ દિવસ કરી દેવામાં આવ્યો છે.તે અંગેનું જાહેરનામું પણ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે.તેના કારણે હવે વેપારીઓએ મહિનો પૂર્ણ થયાના બીજા જ દિવસથી તમામ કાગળ તૈયાર કરીને રિટર્ન ભરવાની તૈયારી કરી દેવી પડશે.

હમાસે 24 કલાકમાં સીઝફાયરના સંકેત આપ્યા, ઈઝરાયેલ લડી લેવાના મૂડમાં
દારૂના અડ્ડા બંધ કરાવવા સરભોણના ગ્રામજનો આંદોલન કરશે : બારડોલી પ્રાંત અધિકારીને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
ખુબ ઓછા લોકો જાણે છે કે પં.શિવકુમાર શર્મા સંતુરની સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા
મહારાષ્ટ્રમાં ITના દરોડામાં 32 કિલો સોનું, 58 કરોડ રોકડા સહિત 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી
યોગી આદિત્યનાથનો આદેશઃ ગુજરાતથી તરત મગાવો 25000 રેમડેસિવીર ઇન્જેક્શન
Share This Article
Facebook Email Print
Previous Article સુશાંત રાજપૂત કેસ : મીડિયા ટ્રાયલ્સ અંગે સ્પષ્ટતા કરવા મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી શરૂ
Next Article પત્ની-પુત્રીની કરી હત્યા : લાશોના ટૂકડા બોરામાં ભરી ૨૪ કલાક સુધી રાખ્યા ઘરમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up