- મુઝફરાબાદના એક પરિવારને સત્તાધીશોએ ઘરની બહાર ખેંચી કાઢ્યો : તેને સડક પર ઠંડીમાં સૂવું પડયું
મુઝફરાબાદ (POK) : પાકિસ્તાનના કબ્જા નીચેના જમ્મુ અને કાશ્મીરના એક કુટુંબએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુલ્મમાંથી મુક્તિ અપાવવા અપીલ કરી છે.પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરના મુખ્ય શહેર મુઝફરાબાદમાં રહેતા એક પરિવારે વડાપ્રધાન મોદી પાસે સત્તાધીશોના જુલમમાંથી છૂટકારો મેળવવા સહાય કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે,તેમને આ શિયાળામાં ઘરમાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા અને ઠંડીમાં જ સડક ઉપર આખી રાત ગાળવી પડી હતી.આથી તે કુટુંબના વડીલે નરેન્દ્ર મોદીને આ પ્રમાણે અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે,તેને,તેની પત્નીને અને બાળકોને ખુલ્લા આકાશ નીચે રાત ગાળવી પડી હતી.આ અંગે વાયરલ થયેલા વિડિયોમાં મલિક વસીમે તેને અને તેના પરિવારને બચાવવા માટે,ભારત સરકારને અપીલ કરી છે અને તેેેમના વિસ્તારમાં દખલ કરવા માટે અનુરોધ કર્યો છે.તેણે જણાવ્યું હતું કે તે પ્રશાસન દ્વારા થતા જુલ્મો સહી રહ્યા છે.
વસીમે કહ્યું,’પોલીસ અને પ્રશાસને તેનું ઘર સીલ કરી દીધું છે મારું કહેવું છે કે,જો અમને કૈં પણ થશે તો તેને માટે મુઝફરાબાદના કમીશ્નર અને તહસીલદાર જવાબદાર રહેશે.તેમને ઘરમાંથી બહાર ખેંચી કઢાયા છે અને એક વગદાર વ્યક્તિએ તેની જમીન ઉપર કબ્જો જમાવી દીધો છે.આ વ્યક્તિનું કહેવું છે કે,આ ભૂમિ (POK) ભારતની છે પરંતુ તેની ઉપર માલિકી હક્ક ગેર હિન્દુઓ અને મુસ્લિમો પાસે છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે,માત્ર તેનું જ નહી પરંતુ બીજા હજ્જારો ઘર પોલીસે સીલ કર્યા છે અને લોકોને ઠંડીમાં સડકો ઉપર જ રાત ગાળવી પડે છે.POK ના વગદાર લોકોએ આ મકાનો ઉપર કબ્જો જમાવ્યો છે.આથી હું વડાપ્રધાન મોદીને આગ્રહ કરું છું કે,તેઓ પાકિસ્તાનને પાઠ ભણાવી દે આ તો તમારી મિલ્કત છે તે સંપત્તિ ગેર-મુસ્લિમો અને શીખોની છે,તમે આવો અને લોકોને અત્યાચારોમાંથી મુક્તિ અપાવો.વસીમ મલિકે પૂછ્યું હતું કે,આખરે અમોને કયા કાનુન નીચે ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ?તેણે તેમ પણ કહ્યું હતું કે,જો તેને તેનું ઘર નહી અપાય તો આત્મહત્યા કરશે.
વાસીમમાં પાક.કબજો નીચેનું કાશ્મીર (POK) ભારતનો જ ભાગ છે.૧૯૪૭માં આઝાદી પછી પાકિસ્તાને અચાનક આક્રમણ કરી કાશ્મીરનો કેટલોક ભાગ પચાવી પાડયો છે.જેને તેણે”આઝાદ કાશ્મીર”તેવું છેતરામણું નામ આપ્યું છે.