By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જેસરના માતલપર ગામે સાવજે 2 પ્રાણીના મારણ કરતા ફફડાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જેસરના માતલપર ગામે સાવજે 2 પ્રાણીના મારણ કરતા ફફડાટ
GeneralGujarat Now

જેસરના માતલપર ગામે સાવજે 2 પ્રાણીના મારણ કરતા ફફડાટ

HM News
Last updated: 30/04/2022 9:15 AM
HM News
3 years ago
Share
SHARE

જેસર : જેસર તાલુકાના માતલપર ગામે ગઇ રાત્રે અચાનક સાવજ આવી ચડી એક પાડી તથા ગાયનું મારણ કર્યું હતું અને વાડી વિસ્તારમાં મીજબાની માણી હતી.આ ઘટનાને પગલે વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર જેસર તાલુકાના માતલપર ગામે ગઈ મોડી રાતના ૧૧.૩૦ વાગ્યાના સમયે ગામના ભાવુભાઈ રાણાભાઇ ગોહિલ તેમજ દેહાભાઈ માધાભાઇ ભાલીયાના ઘરે જઈને એક પાડી તેમજ ગાય ઉપર અચાનક હુમલો કરીને મારણ કર્યું હતું.ઘરના સભ્યોને જાણ થતાની સાથે સિંહને ભગાડવાની કોશિશ કરી હતી.હાકલા પડકારા કરવા છતાં પણ સાવજ ભાગ્યા ન હતા.અને મારણને લઈને થોડે દૂર વાડી વિસ્તારમાં જઈને મારણની મિજબાની માણી હતી જેથી કરીને ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.કે જો સિંહ સામે થાય તો લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઇ જેથી કરીને વહેલી સવારે જેસર ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરતાની સાથે ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી.આ સમગ્ર તપાસ હાથ ધરી અને સાવજોને પાંજરામાં પુરી જંગલ વિસ્તાર બીડમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી. ગામલોકોની માંગ એવી છે કે આ સાવજોને પકડી લેવામાં આવે જેથી કરીને મૂંગા પશુનું જીવન મુશ્કેલીમાં ના મુકાય.અવાર નવાર સાવજો તેમજ દીપડાઓ દ્વારા રાતના સમયમાં ઘર સુધી આટાફેરા લગાવી જાય છે.રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવુ પણ મુશ્કેલ બને છે તો અમને તાત્કાલિક ધોરણે સૂર્યોદય યોજનામાં લાઈટ આપવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગણીઓ છે જેથી રાત્રીના ઉજાગરા પણ ન કરવા પડે ને સાવજો તથા દીપડાનો પણ ડર દૂર થઈ જાય તેવી ગ્રામજનોની માંગણી છે.આ પહેલા પણ આજુબાજુનાં ગામડાનાં સરપંચો દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરેલ છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા યોજનાનો અમલ કે નિર્ણય આપવામાં આવ્યો નથી.

Ukraine War: ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો
ગોવા: પ્રમોદ સાવંત 24 માર્ચે CM પદના શપથ લે તેવી શક્યતા – રિપોર્ટ
તામિલનાડુમાં દારૂની દુકાન ખૂલ્યા બાદ 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો ,દુકાન બહાર બોટલની પૂજા કરતો દેખાયો શખ્સ
ગુજરાત કેડરના PM મોદીના ખાસ હસમુખ અઢિયાને દિલ્હીમાં મળી શકે છે મહત્ત્વનું પદ
જત વિશેષ જણાવવાનું કે લોકડાઉનની સ્થિતિમાં હિન્દુતાન મિરર માત્ર ડિજિટલ ફોરમેટમાં જ રીલીઝ થશે
Share This Article
Facebook Email Print
Previous Article અગાઉ એમ.જે., સર પી.પી. સાયન્સ બાદ શામળદાસ કોલેજના આચાર્યએ રાજીનામુ ધર્યું
Next Article ભાવનગર-બોટાદ ટ્રેનને ધ્રાંગધ્રા સુધી પુનઃ લંબાવવા લોકમાંગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up