હવે ટાટા ગ્રુપ (Tata Group) એર ઇન્ડિયા (Air India) ને સક્રિય રીતે ટેક-ઓવર (take-over) કરવાની વિચારણા કરી રહી છે. ટાટા ગ્રુપ દેવામાં ડૂબેલી એરલાઇન્સ પર ધ્યાન આપવાની શરૂઆત કરી હોવાના અહેવાલ છે અને આ મહિનાના અંતમાં સત્તાવાર સમયમર્યાદાની નજીક ઔપચારિક બોલી લગાવે તેવી અપેક્ષા છે. જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એર ઈન્ડિયા માટે ઇઓઆઈ (Expression Of Interest-EOI) સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી હતી કારણ કે કોરોનાવાયરસ (submission of EOI for Air India was extended till 31st august due to corona crisis) ફાટી નીકળતાં વૈશ્વિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે એરલાઇન્સની રચના ટાટા સન્સ લિમિટેડના વિભાગ તરીકે 1932 માં કરવામાં આવી હતી. 1946 સુધી તેને ટાટા એરલાઇન્સ તરીકે ચલાવવામાં આવતી હતી, ત્યારબાદ તે એક જાહેર લિમિટેડ કંપની બની હતી અને તેનું નામ એર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. આજે ટાટા સન્સના પ્રવક્તાએ એર ઇન્ડિયાને સક્રિય રીતે ટેક-ઓવર કરવાના સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, ‘ટાટા સન્સ હાલમાં પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને યોગ્ય વિચારણા બાદ અને યોગ્ય સમયે બોલી (bidding) પર વિચાર કરશે. નાણાકીય ભાગીદાર લાવવાની અમારી કોઈ યોજના નથી’.
જો કે એર ઇન્ડિયામાં એરલાઇન્સમાં રસ ધરાવતા અન્ય સ્યુટર્સનું કહેવુ છે કે એર ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની – એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે ઓછા ખર્ચે બોલી લગાવી અલગથી વેચવી જોઈએ. પણ હાલમાં એર ઇન્ડિયા, તેની એછી કિંમતની પેટાકંપની અને અન્ય સંપત્તિ સહિત એકસાથે જ વેચવાનો સરકારનો નિર્ણય છે. એવી પણ ખબર છે કે ટાટાસન્સ એર ઇન્ડિયાનું ‘એર એશિયા’ (Air Asia) સાથે વિલીનીકરણ કરવા માંગે છે. અને પોતે 51% સ્ટેક પોતાની પાસે રાખવા માંગે છે. કામચલાઉ આંકડા માર્ચ 31,2019 સુધીમાં એર ઇન્ડિયાનું કુલ દેવું રૂ. 58,351.93 કરોડ બતાવે છે. સંભવિત બિડરોને સરકાર રાષ્ટ્રીય કેરિયરમાં 100 ટકા હિસ્સો ઓફર કરી રહી છે, ઉપરાંત એરલાઇન્સના દેવાના મહત્ત્વના ભાગમાં રાહત આપવાની છે.
હાલમાં ટાટા જૂથ ભારતમાં પહેલેથી જ બે એરલાઇન્સ સંયુક્ત સાહસોમાં હિસ્સો ધરાવે છે – એક વિસ્તાારા (Vistara) ને સંચાલિત કરવા માટે સિંગાપોર એરલાઇન્સ (Singapore Airlines-SIA) સાથે પૂર્ણ-સર્વિસ એરલાઇન્સ,અને બીજો એરએશિયા સાથે. ટાટા સન્સના મુંબઈ સ્થિત એક ટોચના કાનૂની નિષ્ણાંતે જણાવ્યું હતુ કે, ‘એર ઇન્ડિયાને ખરીદવુ એ એક જટિલ દરખાસ્ત છે. તેને ચલાવવા માટે ઘણી કાનૂની સમજ, હોદ્દેદારોના સમર્થન અને સરકારી સહાયની જરૂર પડશે. તેમાં નકારાત્મક જેટલા સકારાત્મકત પાસા છે’.