નવી દિલ્હી, તા. 28 માર્ચ 2023, મંગળવાર : PFI પર ગત વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મોદી કેબિનેટે નિર્ણયના 15 દિવસ પહેલા PFI વિશે એક નોંધ તૈયાર કરી હતી અને કહ્યું હતું કે તેના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણીના આરોપ સાથે PFI પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ટ્રિબ્યુનલે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે PFI અને સંબંધિત સંગઠનો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
આ કેસમાં સુનાવણી દરમિયાન સરકારે પાંચ સીલબંધ કવરોમાં દસ્તાવેજો ટ્રિબ્યુનલને સોંપ્યા છે.આ સિવાય ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ UAPA હેઠળ ગુપ્તતાનો હવાલો આપીને સીલબંધ કવરમાં પોતાનો જવાબ આપ્યો છે.સરકારે PFI વિરુદ્ધ 71 કેસમાં લગભગ 97 સાક્ષીઓની વાત કરી છે.ટ્રિબ્યુનલે 21 માર્ચે આ આદેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ દિનેશ કુમાર શર્માની ટ્રિબ્યુનલમાં ગૃહ મંત્રાલયના નાયબ સચિવ ધર્મેન્દ્ર કુમાર હાજર થયા હતા.તેમણે કહ્યું કે PFI પર 27 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અગાઉ કેન્દ્રીય એજન્સીઓએ સંપૂર્ણ તપાસ કરી હતી. PFI ગેરકાયદેસર અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.આ સંસ્થા કાયદાનો ભંગ કરતી હતી.
આ અંગે એક નોંધ તૈયાર કરવામાં આવી હતી અને કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવી હતી.તેને 25 સપ્ટેમ્બરના રોજ મંજૂરી મળી હતી.જોકે આ નોંધ 25 સપ્ટેમ્બરના રોજ 15 દિવસ પહેલા તૈયાર થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે કેન્દ્રીય એજન્સીઓએ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.ત્યારબાદ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.