By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રિબ્યુનલે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો : PFI પર પ્રતિબંધ યથાવત રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રિબ્યુનલે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો : PFI પર પ્રતિબંધ યથાવત રહેશે
GeneralNational

ટ્રિબ્યુનલે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો : PFI પર પ્રતિબંધ યથાવત રહેશે

HM News
Last updated: 28/03/2023 11:23 AM
HM News
2 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2023, મંગળવાર : PFI પર ગત વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મોદી કેબિનેટે નિર્ણયના 15 દિવસ પહેલા PFI વિશે એક નોંધ તૈયાર કરી હતી અને કહ્યું હતું કે તેના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણીના આરોપ સાથે PFI પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ટ્રિબ્યુનલે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે PFI અને સંબંધિત સંગઠનો પર પ્રતિબંધ ચાલુ રહેશે.

આ કેસમાં સુનાવણી દરમિયાન સરકારે પાંચ સીલબંધ કવરોમાં દસ્તાવેજો ટ્રિબ્યુનલને સોંપ્યા છે.આ સિવાય ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ UAPA હેઠળ ગુપ્તતાનો હવાલો આપીને સીલબંધ કવરમાં પોતાનો જવાબ આપ્યો છે.સરકારે PFI વિરુદ્ધ 71 કેસમાં લગભગ 97 સાક્ષીઓની વાત કરી છે.ટ્રિબ્યુનલે 21 માર્ચે આ આદેશ આપ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ દિનેશ કુમાર શર્માની ટ્રિબ્યુનલમાં ગૃહ મંત્રાલયના નાયબ સચિવ ધર્મેન્દ્ર કુમાર હાજર થયા હતા.તેમણે કહ્યું કે PFI પર 27 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અગાઉ કેન્દ્રીય એજન્સીઓએ સંપૂર્ણ તપાસ કરી હતી. PFI ગેરકાયદેસર અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.આ સંસ્થા કાયદાનો ભંગ કરતી હતી.

આ અંગે એક નોંધ તૈયાર કરવામાં આવી હતી અને કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવી હતી.તેને 25 સપ્ટેમ્બરના રોજ મંજૂરી મળી હતી.જોકે આ નોંધ 25 સપ્ટેમ્બરના રોજ 15 દિવસ પહેલા તૈયાર થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે કેન્દ્રીય એજન્સીઓએ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.ત્યારબાદ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

દેશમાં 58 દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ
પહેલા મુગલો પછી અંગ્રેજો-કોંગ્રસે રાજ કર્યું,હવે હિંદુરાજ માટે વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે
જીવન ટકાવવા માટેના ધોરણ ક્રમાંકમાં ભારત ૭૭મા સ્થાને : યુએન રિપોર્ટ
ગુનેગારોનો બાયોમેટ્રિક ડેટાબેઝ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે મહારાષ્ટ્ર , જાણો કેવી રીતે પોલીસને મદદ મળશે
ગોંડલ S.T ડેપોના કંડકટર અને દાહોદ-ગોંડલના ચાર એજન્ટની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article આખરે નવો વર્સોવા બ્રિજ ખુલ્લો મુકાયો
Next Article શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up