[weather_data]
Breaking News
TRENDING NEWS

ટ્રોલિંગના કારણે માનસિક સંતુલન ખોળવાતાં સ્વરા ભાસ્કર ડોકટરોના ભરોસે, નવી ફિલ્મ રિલીઝ થતાં જ સુપર ફ્લોપ

[updated_date] [post_views]

Table of Content

ફિલ્મ ફ્લોપ જતા સ્વરા ભાસ્કરનું માનસિક સંતુલન ખોરવાયું છે.બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતે જ એક ઇન્ટરવ્યુંમા કહ્યું છે કે ટ્રોલિંગના કારણે તે પોતાનું માનસિક સંતુલન જાળવવા માટે ડોક્ટરોની મદદ લઈ રહી છે.તેની ફિલ્મ ‘જહાં ચાર યાર’ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.તેણે બોલિવૂડના તમામ લોકોને એક થવાની અપીલ કરી અને કહ્યું છે કે જો એકતા બની રહેશે તો હુમલા ઓછા થશે.સ્વરા ભાસ્કરે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ સામાન્ય સમય નથી અને તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

સ્વરા ભાસ્કરનો દાવો છે કે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે અને તેને ધમકીઓ પણ મળે છે.એબીપી ન્યૂઝ અનુસાર, સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે તે પોતાનું માનસિક સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે અને તમામ મુદ્દાઓ પર તેના ડૉક્ટરો સાથે વાત કરતી રહે છે.તેમણે ‘કનેક્ટ એફએમ કેનેડા’ સાથે વાત કરતા આ વાત કહી.તેણે કહ્યું હતું કે જો કોઈને કરણ જોહર પસંદ નથી તો તેનો અર્થ એ નથી કે તે હત્યારો છે.આ દરમિયાન તેણે અક્ષય કુમાર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તે જે પ્રકારની ફિલ્મોનું સમર્થન કરે છે તેનાથી તે સહમત નથી.સ્વરા ભાસ્કરે કહ્યું કે બોલિવૂડમાં કોઈ એકમત પર બોલતું નથી અને આ જ મુખ્ય સમસ્યા છે.તાજેતરમાં સ્વરા ભાસ્કરે તેની તાજેતરની ફિલ્મ ‘જહાં ચાર યાર’ના સ્ક્રીનિંગ માટે AAP (આમ આદમી પાર્ટી)ના ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું.સ્ક્રિનિંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા પણ હાજર હતા.અમે આપને જણાવી ચુક્યા છીએ કે સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘જહાં ચાર યાર’ શુક્રવારે (16 સપ્ટેમ્બર, 2022) ના રોજ રીલિઝ થઈ હતી,પરંતુ થિયેટરોમાં ન તો દર્શકો દેખાઈ રહ્યા છે અને ન તો IMDb પર રેટિંગ. ફિલ્મને IMDb પર માત્ર 4.5 રેટિંગ મળ્યા છે.પહેલા તે 1.1 હતો, પરંતુ અચાનક 10 રેટિંગ આપીને તેમાં વધારો કરવામાં આવ્યો.તે જ સમયે વિવેચકોએ પણ આ ફિલ્મને સખત રીતે નકારી કાઢી છે અને કહ્યું છે કે તે અશ્લીલ સંવાદો અને વિચિત્ર કોમેડીથી ભરેલી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles