By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લાનાં શામગહાન ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી અંગે ગ્રામજનો લડાયક મૂડમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લાનાં શામગહાન ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી અંગે ગ્રામજનો લડાયક મૂડમાં
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લાનાં શામગહાન ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી અંગે ગ્રામજનો લડાયક મૂડમાં

HM News
Last updated: 02/06/2022 7:25 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનની વિવાદિત આચાર્યા રોશની પટેલની બદલી જો ઉઘડતા સત્ર પહેલા ન કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંચિત બની છે.તો બીજી તરફ રાજ્ય સરકારનાં એચ ટાટ આચાર્યો સરકારનાં નીતિ નિયમોનાં ધજીયા ઉડાવી રહ્યા છે.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનમાં જોવા મળી રહ્યુ છે.

ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટનાં પગલે આદિવાસી બાળકોનાં શૈક્ષણિક ભાવિ પર પ્રશ્નાર્થ મુકાયો છે.શામગહાન શાળાનાં આચાર્યા રોશની પટેલ દ્વારા એડમિશન સહીત અન્ય શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોને શાળામાંથી પ્રમાણપત્ર કાઢી ન આપી મોટી હેરાનગતિ કરાઈ રહી હોવાની રાવ ઉઠી છે.ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલ વાલીઓ,ગ્રામજનો સહિત આગેવાનો જોડે હર હંમેશા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી પવિત્ર એવા શિક્ષણનાં વ્યવસાયને લજવી રહયા છે.

શામગહાન શાળાનાં આચાર્યા રોશનીબેન પટેલનાં અણઘડ વહીવટ અને બેજવાબદાર વર્તનનાં પગલે સ્થાનિક વાલીઓ સહિત ગ્રામજનો પણ તોબા તોબા પોકારી ઉઠ્યા છે.ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટથી વાજ આવીને એક મહિના પૂર્વે ગ્રામજનોએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી સહીત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી બદલીની માંગ કરી હતી.વધુમાં શામગહાન પ્રાથમિક શાળાનાં વિવાદિત આચાર્યાની અન્યત્ર બદલી ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી સહિત ધરણા પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી.જે આવેદનપત્રને આજે એક મહિનો જેટલો સમય વીતી જવા છતાંય આ વિવાદિત આચાર્યા સામે કોઈ પગલા ન ભરાતા ઉઘડતા સત્રએ ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા પ્રદર્શન કરાશેની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે તંત્ર આ વિવાદીત આચાર્યા સામે કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.

ટ્રમ્પની જીદ ભારે પડવાના એંધાણ : ૨૪ કલાકમાં ન્યુયોર્કમાં ૯૬૫ ના મોત
બાળકીને પીંખી તેની નિર્મમ હત્યા કરનાર આરોપીની ફાંસી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
”પપ્પી દે પપ્પી દે પારુલા ” : શિવસેના શિંદે જૂથના પ્રવક્તા શીતલ મ્હાત્રેનો કથિત વીડિયો વાયરલ : બે જણાની ધરપકડ
મુંબઈના દરિયામાં બે બાર્જમાં 410 ફસાયા: 146નો બચાવ
PM ગતિ શક્તિ યોજના શું છે? સામાન્ય માણસને કેવી રીતે ફાયદો થશે? જાણો
Share This Article
Facebook Email Print
Previous Article એક સમયના ભાજપના કટ્ટર આલોચક હાર્દિક પટેલ આજે રંગાશે કેસરિયા રંગમાં
Next Article ડાંગના સ્થાનિક આદિવાસી ને મારમારી લાક્ડાચોરી માં સંડોવ્યાની ફરિયાદ પગલે ચાર વનકર્મી સામે તપાસનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up