સાપુતારા : ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી અને હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોઈપણ નિસકર્ષ વગર સમેટાઈ જતા વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.હાલની પરિસ્થિતિ ડાંગ જિલ્લો આદિવાસીઓનો હોવાનો દાવો કરી કલેકટર કચેરી ખાલી કરાવવા માટે રેલી સ્વરૂપે કલકેટર કચેરીએ પહોંચેલા મંડળીના સભ્યો ને જોતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને નાયબ પોલીસ અધિક્ષક,એલસીબી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો કલકેટર કચેરીએ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ડાંગ જિલ્લાનું જંગલ સહિત રેવન્યુ વિભાગ પણ આદિવાસીઓ માલીક હોવાનો દાવાઓ કરવામાં આવ્યા હતા.આહવા ખાતેની કલકેટર કચેરીના મુખ્ય માર્ગને અવરોધી ડાંગ જિલ્લામાં આદિવાસીઓનું રાજ સ્થાપન કરવાનું જણાવી તંત્રને ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી.જોકે નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેતા ઇસખંડી જહાગીરી મંડળના આદિવાસી સભ્યો કોઈપણ નિસકર્ષ વગર ઘેરાવો છોડી નીકળી જતા મામલો થાળે પડ્યો હતો.
જોકે આ સંદર્ભે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતું કે જિલ્લામાં અશાંતિ ફેલાવવા મુદ્દે લોકોને ભેગા કરનાર અને ગેરમાર્ગે દોરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ તો પોલીસ કાફલા ને જોતા ઇશખંડી જાગીરી મંડળ સભ્યોએ કલકેટર કચેરી ખાલી કરી દીધી છે પરંતુ તેઓ ની માંગ છે કે ડાંગ જિલ્લામાં આમરો હક છે,ડાંગ જિલ્લાના સમગ્ર જંગલ ઉપર અમારો હક છે જેથી અમારા સભ્યો એજ વન અધિકારી વન કર્મી અને અમારા સભ્યો એજ પોલીસ પ્રાસાશન છે.આ મુજબ ની વિચાર ધારા ધરાવતા મંડળીના આદિવાસી નેતા આવનાર સમયમાં વધુ લોકોને એકત્રિત કરી ફરી કલકેટર કચેરીનો ઘેરાવ કરે તેવી શકયતા છે.જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લાના શાંત વાતાવરણ ને ડોહળનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ કડક પગલાં ભરવમાં આવશે.