By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી ના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ રેલી સમેટાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી ના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ રેલી સમેટાઇ
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી ના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ રેલી સમેટાઇ

HM News
Last updated: 02/07/2022 6:23 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી અને હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોઈપણ નિસકર્ષ વગર સમેટાઈ જતા વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.હાલની પરિસ્થિતિ ડાંગ જિલ્લો આદિવાસીઓનો હોવાનો દાવો કરી કલેકટર કચેરી ખાલી કરાવવા માટે રેલી સ્વરૂપે કલકેટર કચેરીએ પહોંચેલા મંડળીના સભ્યો ને જોતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને નાયબ પોલીસ અધિક્ષક,એલસીબી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો કલકેટર કચેરીએ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ડાંગ જિલ્લાનું જંગલ સહિત રેવન્યુ વિભાગ પણ આદિવાસીઓ માલીક હોવાનો દાવાઓ કરવામાં આવ્યા હતા.આહવા ખાતેની કલકેટર કચેરીના મુખ્ય માર્ગને અવરોધી ડાંગ જિલ્લામાં આદિવાસીઓનું રાજ સ્થાપન કરવાનું જણાવી તંત્રને ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી.જોકે નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેતા ઇસખંડી જહાગીરી મંડળના આદિવાસી સભ્યો કોઈપણ નિસકર્ષ વગર ઘેરાવો છોડી નીકળી જતા મામલો થાળે પડ્યો હતો.

જોકે આ સંદર્ભે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતું કે જિલ્લામાં અશાંતિ ફેલાવવા મુદ્દે લોકોને ભેગા કરનાર અને ગેરમાર્ગે દોરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ તો પોલીસ કાફલા ને જોતા ઇશખંડી જાગીરી મંડળ સભ્યોએ કલકેટર કચેરી ખાલી કરી દીધી છે પરંતુ તેઓ ની માંગ છે કે ડાંગ જિલ્લામાં આમરો હક છે,ડાંગ જિલ્લાના સમગ્ર જંગલ ઉપર અમારો હક છે જેથી અમારા સભ્યો એજ વન અધિકારી વન કર્મી અને અમારા સભ્યો એજ પોલીસ પ્રાસાશન છે.આ મુજબ ની વિચાર ધારા ધરાવતા મંડળીના આદિવાસી નેતા આવનાર સમયમાં વધુ લોકોને એકત્રિત કરી ફરી કલકેટર કચેરીનો ઘેરાવ કરે તેવી શકયતા છે.જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લાના શાંત વાતાવરણ ને ડોહળનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ કડક પગલાં ભરવમાં આવશે.

યુપીમાં સિનેમાઘરો-મલ્ટીપ્લેક્સની લાઇસન્સ ફીમાં છ મહિનાની માફી
કડોદરાના અંત્રોલીમાં બુકાનીધારી લૂંટારુ ત્રાટક્યા, ગ્રામજનો જાગી જતાં પથ્થરમારો કર્યો
માં કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને ફજેતી પામેલા યુક્રેને હવે માંગી માફી
Tractor Parade : અત્યાર સુધીમાં 22 FIR દાખલ, 83 પોલીસકર્મી ઘાયલ, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી મહત્વની બેઠક
MP: શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, 28 મંત્રીઓએ લીધા શપથ
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીમાં એક ઇંચ વરસાદ, શાસકોની બેદરકારીથી શામરિયામોરાના રહીશો સતત ત્રીજા વર્ષે હેરાન
Next Article સરસપુરમાં રથ પર કેટલાક ખલાસી બેસી જતા મહંત નારાજ, તમામને ટકોર કરી નીચે ઉતાર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up