By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લામાં દમણગંગા યોજના હેઠળ બનાવેલ ચેકડેમોની યોગ્ય તપાસ કરવા સ્થાનિકોની માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લામાં દમણગંગા યોજના હેઠળ બનાવેલ ચેકડેમોની યોગ્ય તપાસ કરવા સ્થાનિકોની માંગ
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લામાં દમણગંગા યોજના હેઠળ બનાવેલ ચેકડેમોની યોગ્ય તપાસ કરવા સ્થાનિકોની માંગ

HM News
Last updated: 08/08/2020 7:13 AM
HM News
5 years ago
Share
SHARE

– ચીખલીથી વાસુરણા જતા માર્ગની સાઇડે બનાંવેલ ચેકડેમના પાયામાં ઇજારદારે ઉતરેલી વેઠથી ચેકડેમમાં ગાબડું પડ્યું ચેકડેમો રીપેર કર્યા બાદ પણ પાણીનો સંગ્રહ થતો નથી

સાપુતારા : ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા આદિવાસી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે દમણગંગા વિભાગે નિર્માણ કરેલા અનેક ચેકડેમો રીપેર કર્યા બાદ પણ પાણીનો સંગ્રહ ન થતા ચાલુ વર્ષે રીપેરીંગ કરેલા ચેકડેમોની યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉભી થવા પામી છે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર ડાંગ જિલ્લામાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ તેનું યોગ્ય આયોજન કે સુપરવિઝન ન થતા યોજનાઓ સાકાર થતા પહેલા જ જર્જરિત અવસ્થામાં આવી જતા સરકારનો ધ્યેય સિદ્ધ થતો નથી.ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન નકામું વહી જતું પાણી રોકવા રાજ્ય સરકારના દમણગંગા યોજના હેઠળ સેંકડો ચેકડેમો બનાવ્યા છે.પરંતુ આ યોજનામાં શરૂઆતથી જ ઇજારદાર અને અધિકારીઓની બંદરબાટ નીતિ રીતિના પગલે ચેકડેમના પાયામાં જ નિમ્નકક્ષાનું મટીરીયલ વાપરી ભારે ગેરરીતિઓના પગલે ચેકડેમ પ્રથમ વરસાદમાં જ લીકેજ થઈ જાય છે યા તો ધોવાય જતા યોજના નિષ્ફળ નીવડે છે.ત્યારબાદ ચેકડેમ રીપેરીંગના નામે માત્ર ચેકડેમો કાગળ પર દર્શાવી નાણાં ગપચાવી લેવાય છે.ચીખલીથી વાસુરણા જતા માર્ગની સાઇડે બનાંવેલ ચેકડેમના પાયામાં ઇજારદારે ઉતરેલી વેઠથી ચેકડેમમાં ગાબડું સર્જાતા ચેકડેમની ગુણવત્તાની પોલ ખુલવા સાથે જંગલી પ્રાણીઓ માટે આશ્રયસ્થાન જેમ ગુફા બની જવા પામી છે.આ સંદર્ભે દમણગંગા વિભાગ દ્વારા ચાલુ વર્ષે કરેલા ચેકડેમોના રીપેર કામગીરી માટે સ્થાનિક આગેવાન દ્વારા જાહેર માહિતી અધિકાર મુજબ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ સમગ્ર બાબતે તઠસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સુરતમાં મૃતદેહો લઈ જવા માટે શબવાહિની ખૂટી પડતાં સ્કૂલ વાનનો ઉપયોગ શરૂ
યાર્ડમાં હડતાળનો ૭મો દિવસ…વેપારીઓ દુકાન નહીં ખોલે તો લાયસન્સ જપ્ત થશે
હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS થઇ ગયા દોડતા !
કામના સ્થળે હાર્ટએટેકથી મોત અકસ્માત ગણાય , વળતર મળી શકે
સુરતમાં આજે વધુ 17 પોઝિટિવ કેસ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત સુમુલ ડેરીની ચૂંટણીમાં વાલોડ બેઠક પર બે કલાકમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ
Next Article સાગી લાકડા તોડ પ્રકરણમાં વધુ એકની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up