કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) ,સુરત ડાયમંડ એસોસિયેશને જાહેરાત કરી છે કે 24 માર્ચથી 31 માર્ચ સુધી હીરાબજાર અને કારખાના સંપૂર્ણ બંધ રહેશે,તમામ લોકોને ઘરે જ રહેવાની પણ વિનંતી કરવામાં આવી છે.રવિવારે તો આમ પણ જનતા કર્ફયુમાં હીરાબજાર તથા કારખાના બંધ રાખવાની બંધ અપીલ કરવામાં આવી હતી.
કોરાના વાયરસે દેશભરને અજગર ભરડામાં લીધો છે અને વડાપ્રધાન પણ લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરી રહ્યા છે તે વાતને ધ્યાનમા રાખીને હીરાઉદ્યોગ 24થી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
SGCCI ની ડાયમંડ કમિટીના ચેરમેન કિર્તીભાઇ શાહે કહ્યું હતું કે છેલ્લા 3 મહિના થી આખી દુનિયામાં કોરોના વાયરસ વૈશ્વિક મહામારી તરીકે ઉભરી રહેલ છે આ મહામારી સામે લડવા આપણે સહુએ મક્કમતાથી એક થવાની જરૂર છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રી વિદેશ સાથે ડાયરેકટ સંકળાયેલી હોવાથી તથા આ ઈન્ડસ્ટ્રીનાં લોકો ની વિદેશમાં અવરજવર વધુ હોવાથી આ વાયરસ ની સંભાવના આ ઈન્ડસ્ટ્રીમાં વધુ ગંભીર રીતે જોઈ શકાય છે. વિશ્વનાં દરેક દેશો જેવાકે એન્ટવર્પ, ઇઝરાયેલ માર્કેટો લોક ડાઉન/બંધ છે, મુંબઈનું માર્કેટ પણ આજથી લોકડાઉન છે.આ ઉપરાંત બીજી ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં આપણી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલેશન ડેન્ટસીટી ખુબજ વધુ છે એટલે કે સામાન્ય રીતે બીજી ઈન્ડસ્ટ્રીમાં એક સ્કવેયર મીટરે એક વ્યક્તિ કામ કરતું હોય છે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં એક સ્કવેયર મીટરમાં 4 લોકો કામ કરતા હોય છે. ઉચ્ચસ્તરે બિરાજમાન વૈશ્વિક ડૉક્ટરોનું કહેવું છે કે ભલે આ વાયરસ ઘરડા લોકોનો ભોગ વધુ પ્રમાણમાં લે છે પરંતુ આ વાયરસનાં વાહક મુખ્યત્વે યુવા નાગરિક છે, તેથી આજરોજ અમે સહુ સભ્યો ઉપરનાં વિચાર સાથે સહમત છીએ તથા ગંભીર છીએ તો અમે આ મહામારીની પરિસ્થિતિમાં તેજી મંદી પ્રોડક્શન કે સેલ્સને ધ્યાનમાં ના લેતા ફક્ત માનવતાની દ્રષ્ટિએ આ રોગચાળો સમાજમાં ના ફેલાય તેવા હેતુથી તાત્કાલિક ધોરણે સ્વયંભૂ ડાયમંડ માર્કેટ ઓફિસ નાના મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટો તથા દરેક કારખાનામાં વેકેશન જાહેર કરવાની અપીલ કરીયે છીએ.