નવી દિલ્હી : ટોચની મોર્ગેજ કંપની HDFC જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નફામાં 12થી 22 ટકા સુધીનો ઘટાડો નોંધાવે તેવી શક્યતા છે.ખાસ કરીને ચોથા ક્વાર્ટરમાં વિવિધ સબસિડિયરીઝની ડિવિડન્ડ આવક ઘટવાના અંદાજે નફો દબાણમાં રહેવાનો અંદાજ છે.કંપની ૨૫ મેના રોજ ત્રિમાસિક પરિણામ જાહેર કરવાની છે.કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના અંદાજ પ્રમાણે HDFC નફામાં ૨૧.૩ ટકા ઘટાડો દર્શાવશે.જોકે,કંપનીની વ્યાજની ચોખ્ખી આવક ૭.૩ ટકા વધવાનો અંદાજ છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર કંપનીને ચોથા ક્વાર્ટરમાં કોઈ મૂડીલાભ કે ડિવિડન્ડની આવક મળવાની શક્યતા નથી.કોટકે જણાવ્યું હતું કે, “કંપનીને ૨૦૧૮-’૧૯ના ચોથા ક્વાર્ટરમાં ~૫૪૦ કરોડની ડિવિડન્ડ આવક મળી હતી.જોકે,આ વખતે ચોથા ક્વાર્ટરમાં કોઈ સબસિડિયરીએ ડિવિડન્ડની ચુકવણી કરી નથી.”બ્રોકરેજના અંદાજ પ્રમાણે HDFC સંચાલન હેઠળની એસેટ્સ (AUM)માં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૧૩ ટકા વૃદ્ધિ દર્શાવશે.