રાજ્યમાં માસ્કના નામે જનતા પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ ચાલતું હોવાના અક્ષેપો વચ્ચે કુલ રૂ.116 કરોડ જનતા પાસે થી ઉઘરાવ્યાનો મામલો સામે આવ્યો છે અને પોલીસને અપાતા ટાર્ગેટ વચ્ચે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી છે.
કોરોના આવતા જ સામાન્ય જનતાની હાલત કફોડી થઈ ગઈ છે ધંધા,રોજગાર ચાલતા નથી કેટલાય નોકરી વગર ના થઇ ગયા છે ઠેરઠેર હવે આંદોલન ચાલવા માંડ્યા છે મોંઘવારી ચરમસીમા ઉપર છે અને બીજી તરફ પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિક અને માસ્કના નામે દંડ ઉઘરાવવા માં આવી રહ્યો છે જે પ્રજા ને પડતા ઉપર પાટુ સમાન છે હાલ રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ અત્યાર સુધીમાં કુલ 116 કરોડ રૂપિયાનો દંડ જનતા પાસે વસૂલ કરાયો છે.માસ્ક ન પહેરનારા 23 લાખ 64 હજાર 420 લોકોને દંડ ફટકારાય ચૂક્યો છે.તેવામાં હવે અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક મુદ્દે દંડનો ટાર્ગેટ અપાઇ રહ્યો છે.પોલીસકર્મીએ જ પોલીસના ટાર્ગેટનો ભાંડો ફોડતા ભારે ચકચાર મચી ગઇ છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસને માસ્ક ન પહેર્યું હોય તેવા 40 મેમો બનાવવાનો ટાર્ગેટ અપાય છે.પોલીસે કરેલી કામગીરીનો રિપોર્ટ PSOને આપવાનો હોવાની વિગતો સામે આવી છે. ACP, DCP અને JCP રોજનો એક લાખનો ટાર્ગેટ આપે છે.ટાર્ગેટ પૂર્ણ કરવા માસ્ક પહેરનાર પાસેથી દંડ વસૂલાતો હોવાની વાત સામે આવી છે કારણકે નાસ્તો કરતા લોકો પાસેથી ધમકી આપી દંડ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો વધી ગઈ છે.માસ્કની જગ્યાએ રૂમાલ પહેરનાર પાસેથી પણ દંડ વસૂલાતો હોવાના દાખલા સામે આવ્યા છે.અગાઉ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ માસ્ક ન હોય તો રૂમાલ પહેરી શકાય છે એમ નિવેદનો કરતા હોય ત્યારે પોલીસ શામાટે રૂમાલ બાંધેલા ને ટાર્ગેટ કરી રહી છે ? તેવી ફરિયાદ વચ્ચે એક ચોંકાવનારી વાત બહાર આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી ગઇ છે.એક જ રીસિપ્ટ નંબરના બે મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મેમો નેહરુનગર વિસ્તારમાંથી અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં માસ્ક ન પહેરવા બદલ વાસણાના રહેવાસી દંપતીને મેમો આપવામાં આવ્યો હતો જે વાતને લઈ ટ્રાફિક પોલીસનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ લાગ્યા છે.
કોરોનાની મહામારી માં લોકો ની ચિંતા કર્યા વગર બેફામ દંડ ઉઘરાવાનો એક પોઈન્ટ પર 40થી વધુ મેમો ફાટવાનો ટાર્ગેટ કોના ઈશારે અપાય છે તે વાત ચર્ચાનો વિષય બની છે.એવી પણ વાત લોકો માં ચર્ચાઈ રહી છે કે પોલીસને પણ વીમા કંપનીની જેમ કામ કેમ સોંપવામાં આવી રહ્યું છે કે કેમ અને ખાનગી કંપનીની જેમ પોલીસને ટાર્ગેટ આપવાનું કામ કેટલું યોગ્ય છે તે વાત ને લઈ લોકશાહી દેશ માં સામાન્ય પ્રજા માં ચર્ચા ઉઠી છે.
દીવાળી બાદ કોરોનાના કેસમાં વધારો છતાં સરકાર હરકતમાં આવી ગઇ હતી.જે બાદ અનેક નિયમો કડક બનાવવામાં આવ્યા હતા. જ્યરે માસ્ક ન પહેરનાર પાસે 1000 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે હવે એક એવી ઘટના સામે આવી છે જેમા અમદાવાદ ટ્રાફિક પોલીસે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હતા. એક જ રીસિપ્ટ નંબરના બે મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.મેમો નેહરુનગર વિસ્તારમાંથી અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં માસ્ક ન પહેરવા બદલ વાસણાના રહેવાસી દંપતીને મેમો આપવામાં આવ્યો હતો.જોકે આ મેમો મામલે ટ્રાફિક DCPએ લૂલો બચાવ કર્યો હતો. DCPએ કહ્યું કે,કાર્બન ભૂલી જતા એક જ સિરિયલ નંબરના બે મેમો બન્યા. તો બીજી તરફ ટ્રાફિક પોલીસનું વ્યવસ્થિત કૌભાંડ થતું હોવાનો કોંગ્રસે આરોપ લગાવ્યો છે.
સમગ્ર મામલે અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ એક દંપતીને એક જ નંબર ની રસીદ વાળા બે મેમો આપી દેતા વિવાદ સર્જાયો હતો.વાસણા રહેવાસી દંપતી નહેરુનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન સેટેલાઇટ પોલીસ દ્વારા તેઓને માત્ર ન પહેરવા બદલ રોકવામાં આવ્યા હતા અને બંનેને મેમો આપવામાં આવ્યો હતો.જોકે આ મેમો માં રસીદ નંબર હોવાથી ફરિયાદી દ્વારા રસીદ માં કૌભાંડ થઈ રહેલ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો..
આ ઘટના બહાર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.અને એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ જ્યારે મેમો બનાવ્યો ત્યારે કાર્બન કૉપી મુકવા માં ભૂલ કરી હતી તેને પરિણામે આ એક જ નંબર ની બે રસીદ ભૂલથી અપાઈ ગઈ હતી.એક જ રસીદ આપવા પાછળ બીજી કોઈ કારણ જાણવા મળ્યું ના હતું.જો કે આ ગંભીર ભૂલ બદલ પી એસ આઈ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
પરંતુ હવે આ મામલે માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો મનીષ દોશીનું નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે. જાગૃત નાગરિકને માસ્ક ન પહેરવાના કારણે પોલીસે રોક્યા.પતિ પત્નીને રસીદ આપવામાં આવી તેમાં એક જ નંબરની રસીદ આપી છે.પરંતુ પોલીસે ખુલાસો કર્યો તે હાસ્યાસ્પદ છે.વધુમાં કોંગ્રેસ આક્ષેપ કરતા કહ્યું છે કે ડુપ્લીકેટ રસીદનું કૌભાંડ છે.તો ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? આ અંગે સરકાર કેમ તપાસ કરતી નથી ? આ મોટાપાયે કૌભાંડ છે આની તપાસ થવી જોઈએ.તે સિવાય કોના ખિસ્સામાં આ દંડ ગયો તેની તપાસ થાય ડુપ્લીકેટ રસીદના નામે સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે ?


