મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત થયા પછી હવે નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટે રાજકીય પક્ષો દ્વારા કયાવત હાથ ધરવામાં આવી છે.ત્યારે ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, AIMIM અને NCP મેદાને છે. NCPએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે.ત્યારે હવે ડૉક્ટર પ્રવીણ તોગડિયાની પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર હવે હિન્દુસ્તાન નિર્માણ દળ પણ મેદાને ઉતર્યું છે.ભરૂચ નગરપાલિકાની તમામ બેઠકો પર હિન્દુસ્તાન નિર્માણ દળ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.ત્યારે આ બાબતેની જાહેરાત સત્તાવાર રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ભરૂચના દરેક વોર્ડની સ્થિતિને લઇને 22 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુસ્તાન નિર્માણ દળના ધવલ કનોજીયા,રાજેશ પંડિત,સેજલ દેસાઈ અને પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં હુન્દુસ્તાન નિર્માણ દળની જીત થશે તો પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં દર્શાવવામાં આવેલા 22 મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તેવું પાર્ટીના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું.
હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ ધવલ કનોજીયા અને સભ્યો દ્વારા જે ચૂંટણી ઢંઢેરો રજૂ કરવામાં આવ્યો હતો,તેમાં ભરૂચના દરેક નાગરિકની ભૌગોલિક પરિસ્થિતિને પ્રાધાન્ય આપીને નાગરીકોની સાથે મળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.દરેક વોર્ડમાં યોગ,સ્વાસ્થ્ય કેન્દ્ર અને શાળાઓને ખાનગી શાળાની જેમ સક્ષમ બનાવમાં આવશે. રોડ-રસ્તાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને શહેરના સુંદર અને સુવિધા યુક્ત બનાવવામાં સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
મહત્ત્વની વાત છે કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કારણ કે,દરેક ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહે છે પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIMની પણ ગુજરાતમાં એન્ટ્રી થઇ છે.ત્યારે હવે પ્રવીણ તોગડીયાની HDN પાર્ટીએ ભરૂચમાંથી પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.ત્યારે જનતા કોને મત આપીને ચૂંટે છે તેતો આગામી દિવસોમાં જ ખબર પડશે.