By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડૉ.પ્રવીણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્માણ દળપાર્ટી આ નગરપાલિકાની તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ડૉ.પ્રવીણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્માણ દળપાર્ટી આ નગરપાલિકાની તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે
GeneralGujarat NowPolitics

ડૉ.પ્રવીણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્માણ દળપાર્ટી આ નગરપાલિકાની તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે

HM News
Last updated: 09/02/2021 6:44 AM
HM News
4 years ago
Share
SHARE

મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત થયા પછી હવે નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટે રાજકીય પક્ષો દ્વારા કયાવત હાથ ધરવામાં આવી છે.ત્યારે ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, AIMIM અને NCP મેદાને છે. NCPએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે.ત્યારે હવે ડૉક્ટર પ્રવીણ તોગડિયાની પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર હવે હિન્દુસ્તાન નિર્માણ દળ પણ મેદાને ઉતર્યું છે.ભરૂચ નગરપાલિકાની તમામ બેઠકો પર હિન્દુસ્તાન નિર્માણ દળ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.ત્યારે આ બાબતેની જાહેરાત સત્તાવાર રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ભરૂચના દરેક વોર્ડની સ્થિતિને લઇને 22 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુસ્તાન નિર્માણ દળના ધવલ કનોજીયા,રાજેશ પંડિત,સેજલ દેસાઈ અને પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં હુન્દુસ્તાન નિર્માણ દળની જીત થશે તો પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં દર્શાવવામાં આવેલા 22 મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તેવું પાર્ટીના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ ધવલ કનોજીયા અને સભ્યો દ્વારા જે ચૂંટણી ઢંઢેરો રજૂ કરવામાં આવ્યો હતો,તેમાં ભરૂચના દરેક નાગરિકની ભૌગોલિક પરિસ્થિતિને પ્રાધાન્ય આપીને નાગરીકોની સાથે મળીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.દરેક વોર્ડમાં યોગ,સ્વાસ્થ્ય કેન્દ્ર અને શાળાઓને ખાનગી શાળાની જેમ સક્ષમ બનાવમાં આવશે. રોડ-રસ્તાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને શહેરના સુંદર અને સુવિધા યુક્ત બનાવવામાં સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

મહત્ત્વની વાત છે કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કારણ કે,દરેક ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહે છે પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIMની પણ ગુજરાતમાં એન્ટ્રી થઇ છે.ત્યારે હવે પ્રવીણ તોગડીયાની HDN પાર્ટીએ ભરૂચમાંથી પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.ત્યારે જનતા કોને મત આપીને ચૂંટે છે તેતો આગામી દિવસોમાં જ ખબર પડશે.

સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું : નાનસિંગ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો
NCPમાંથી રાજીનામું આપી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, હાર્દીક પટેલ સામે લડશે ચૂંટણી
ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણને મંજૂરી
સુરતમાં ‘આપ’ના કોર્પોરેટરની પાલિકાના અધિકારીઓને ચીમકી- જો ખોટું કામ કરશો તો જેલના સળિયા પાછળ મુકાવી દઈશ
કોરોનાનો રાફડો ફાટ્યો! 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article PM : ગુજરાતની આ ઘટનાને યાદ કરી PM મોદી રડ્યા,આ કોંગ્રેસી નેતાના કર્યા ભરપૂર વખાણ
Next Article હવે ચેક ક્લિયર થવામાં નહી લાગે વધારે સમય, RBIનો મોટો નિર્ણય, જાણો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up