મુંબઈ,તા. 2. માર્ચ. 2022 બુધવાર : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીએ કોઈ પણ જાતની ક્લીન ચીટ આપવાનો ઈનકાર કરી દીધો છે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના ચીફ એન એનસીબીના ડીડીજી સંજય સિંહે કહ્યુ છે કે,આર્યન ખાન સામે કોઈ પૂરાવા નથી તેવુ કહેવુ ઉતાવળીયુ કહેવાશે.તપાસ હજી ચાલુ છે અને ઘણા નિવેદનો નોંધાયા છે.અમે હજી કોઈ તારણ પર પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ક્રુઝ શીપ પરની પાર્ટીમાંથી આર્યન ખાનની એનસીબીએ બીજા કેટલાક લોકો સાથે ધરપકડ કરી હતી અને તે બાદ આ કેસ આખા દેશમાં દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યો હતો.
આર્યન ખાનને ભારે મથામણ બાદ 28 દિવસ પછી જામીન મળ્યા હતા.